________________
૧૬૮
જૈન ઈતિહાસ રહીને પુસ્તકો લખી પોતાની આજીવિકા ચલાવતો હતો. એક વખતે એક પુસ્તક લખતાં લખતાં તેણે તેમાંથી સાત પાનાં છોડી દીધો. તેથી.. તે પુસ્તકના માલિકે તેને પૂછ્યું કે, આટલાં પાનાં લખ્યા વિના કેમ છોડી દીધાં? ત્યારે તે પોતાની તે ભૂલ કબુલ નહીં કરતાં ઊલટો ગુસ્સે થયો, ત્યારે ત્યાંના સંઘે તેને અયોગ્ય જાણીને ઉપાશ્રયની બહાર કાઢી મેલ્યો. તથા સંધે જાહેર કર્યું કે, આ લંકા લહીયાની પાસે કોઈએ પુસ્તક લખાવવું નહીં. ત્યારે તે લુંકો લાચાર થઈને ક્રોધથી અમદાવાદ છોડી લીંબડીમાં આવ્યો. તે વખતે તેનો એક લખમસી નામે ભાયાત તે રાજમાં કારભારી હતો, તેની પાસે જઈ તે ઘણું રોવા લાગ્યો. ત્યારે લખમસીએ તેનું કારણ પૂછ્યાથી બનેલી વાત છુપાવી તેણે કહ્યું કે, અમદાવાદમાં હું ભગવાનનો સાચો મત કહેતો હતો, ત્યારે તપાગચ્છના શ્રાવકોએ મને મારીને કાઢી મેલ્યો, હવે હું અહીં તમારે શરણે આવ્યો છું, માટે મને તમે આશ્રય આપી મદદ કરો તો હું સાચો માર્ગ પ્રગટ કરું. ત્યારે લખમસીએ તેને કહ્યું કે, આ લીંબડીના રાજયમાં તું ખુશીથી તારો સાચો મત પ્રગટ કર. હું તારો મદદગાર થઈ તને ખાવાપીવા વગેરેનો બંદોબસ્ત કરી આપીશ અને તારી પાસે શાસ્ત્ર સાંભળીશ. ત્યારે લુંકો જોરમાં આવીને સાધુઓની તથા જિનપ્રતિમાઓની ઉત્થાપના કરવા લાગ્યો; તથા જે શાસ્ત્રોમાં જિનપ્રતિમાઓનો અધિકાર આવતો હતો, તે શાસ્ત્રોને અપ્રમાણ ગણીને બાકીનાં જિનપ્રતિમાના અધિકાર વિનાનાં શાસ્ત્રોને પ્રમાણભૂત માનવા લાગ્યો. એવી રીતે સંવત ૧૫૩૩ સુધી તેણે જગા જગાએ પોતાના મતનો ઉપદેશ દીધો. ત્યારે એક ભાણા નામના વણિકે તેના ઉપદેશ મુજબ વેશ પહેર્યો; તથા એવી રીતે શિષ્યોની પરંપરા ચાલી; એવી રીતે આ પકોની ઉત્પત્તિ થઈ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org