________________
જેન ઈતિહાસ
૧૪૫ નહીં. પછી આચાર્યજીએ સિદ્ધરાજને કહ્યું કે, હે રાજન્ ! તમને પુત્ર થશે નહીં; અને તમારું આ સઘળું રાજ્ય કુમારપાળ ભોગવશે. તે સાંભળી સિદ્ધરાજને મનમાં ઘણો ખેદ થયો, પરંતુ તે વાત તેણે કોઈની પાસે પણ પ્રકાશી નહીં. છેવટે રાજસભામાં આવી બીજા કેટલાક જોષીઓને બોલાવી પૂક્યાથી તેઓએ પણ કહ્યું કે, તે સ્વામી, આપને પુત્ર થશે નહીં, અને આપના રાજ્યનો માલિક કુમારપાળ થશે. તે સાંભળી સિદ્ધરાજ તો અત્યંત ઉદાસ થયો. પછી છેવટે તેને એવી દુબુદ્ધિ આવી કે, હવે જો હું કુમારપાળને હણું તો મને પુત્ર થશે, એમ વિચારી તે કુમારપાળને મારવાનો ઉપાય શોધવા લાગ્યો. પરંતુ કુમારપાળનું પુણ્ય પ્રબળ હોવાથી સિદ્ધરાજના તે સર્વ ઉપાયો ફોગટ ગયા. છેવટે કુમારપાળને તે બાબતની ખબર મળવાથી તે દેશાંતરમાં નાસી ગયા, અને પોતાના બનેવી કૃષ્ણદેવને ત્યાં ગુપ્તપણે રહ્યા.
કુમારપાળે ભોગવેલાં સંકટો એવી રીતે કેટલાક દિવસ સુધી ત્યાં ગુપ્તપણે રહેવા બાદ સિદ્ધરાજને તેની ખબર મળવાથી તેને મારવા માટે ત્યાં તેણે પોતાના સુભટોને મોકલ્યા; પરંતુ કુમારપાળને પ્રથમથી જ તે ખબર મળવાથી તે યોગીનો વેશ લઈ ત્યાંથી ભાગી પાટણમાં આવી યોગીઓની જમાતમાં રહેવા લાગ્યા. એવી રીતે કેટલાક દિવસ વીત્યા બાદ વળી દૈવયોગે સિદ્ધરાજને ખબર મળ્યા કે, કુમારપાળ અહીં યોગીઓની જમાતમાં છે. તેથી સિદ્ધરાજે તે સર્વ યોગીઓને ભોજન માટે તેડ્યા, અને એક પછી એક એમ સર્વના તે પોતે પગ ધોવા લાગ્યો; એવામાં પગમાં રાજચિહ્નવાળા કુમારપાળને તેણે ઓળખી કાઢ્યો, પછી પોતાના સુભટોને તેણે હુકમ કર્યો કે, હવે તમારે આ યોગીઓને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org