________________
૧૨૬
જૈન ઈતિહાસ
આવીને વિચારવા લાગ્યો કે, આ મુનિ ખરેખર મહાતેજસ્વી તથા સર્વકળા સંપન્ન છે; માટે મારી શક્તિ હું તેમના પર ચલાવું. એમ વિચારી તેણે પોતાની જીભ ખેંચીને તથા તે જીભથી પર્યંક આસન બાંધીને તે સભામાં બેઠો. તેના તે કાર્યથી આચાર્યજીની જીભ સ્તબ્ધ થઈ, અને તેમણે તેથી તે યોગીના કાર્યનો ભેદ જાણ્યો. ત્યારે આચાર્યજીએ પોતાના મંત્રપ્રયોગથી તે યોગીના આસનને વજ્રલેપ કર્યાથી તે યોગી પણ ત્યાંથી ચાલવાને અશક્ત થયો. ત્યારે તે યોગી હાથ જોડીને આચાર્યજીને કહેવા લાગ્યો કે, હે પ્રભુ ! મારો અપરાધ આપ ક્ષમા કરો અને મને મુક્ત કરો. પછી કેટલાક શ્રાવકોએ પણ વિનંતી કરવાથી આચાર્યજીએ તે યોગીને ́ મુક્ત કર્યો. બાદ આચાર્યજીએ પોતાના સાધુ સાધ્વીઓના પરિવારને હુકમ કર્યો કે, આ દુષ્ટ યોગીએ સ્વીકારેલી પશ્ચિમ દિશામાં હાલ કોઈએ જવું નહીં. પરંતુ ભૂલથી એક સાધ્વીનું જોડું તે તરફ ગયું; અને ત્યાં તળાવના કાંઠા પર રહેલા તે યોગીની દૃષ્ટિએ પડ્યું, ત્યારે તે દુષ્ટ યોગીએ ચપળતા વાપરીને તેઓમાંની એક સાધ્વી ૫૨ કંઈક ચૂર્ણ નાખ્યાથી તે સાધ્વી તે યોગીની પાછળ ગઈ. તે જોઈ આંખોમાં અશ્રુ લાવીને બીજી સાધ્વીએ આચાર્યજી પાસે આવી તે વૃત્તાંત તેમને નિવેદન કર્યો,ત્યારે આચાર્યજીએ તેણીને ધીરજ આપી કે, તેનો હું ઉપાય કરું છું, માટે તમારે ખેદ કરવો નહીં. પછી આચાર્યજીએ એક કુશમય પૂતળું બનાવીને શ્રાવકોને સોંપ્યું, અને કહ્યું કે, આ પૂતળાની તમારે આંગળીઓ છેદવી. પછી બીજા કેટલાક શ્રાવકોને આચાર્યજીએ તે યોગી પાસે મોકલ્યા. ત્યારબાદ તે શ્રાવકો જેમ જેમ તે પૂતળાની આંગળીઓ છેદવા લાગ્યા, તેમ તેમ તે યોગીની આંગળીઓ પણ છેદાવા લાગી; ત્યારે તે યોગીએ ગભરાઈને શ્રાવકોને કહ્યું કે, તમે આ સાધ્વીના મસ્તક પર જળ સીંચો, તેથી તે સાવધ થઈને પોતાને સ્થાનકે જશે. પછી તેમ કરવાથી તે સાધ્વીએ સચેતન થઈ ગુરુ પાસે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org