________________
જૈન ઈતિહાસ માટે ઈર્ષ્યા કરો છો? ઈર્ષ્યાથી મહાન દોષ થાય છે; અને પ્રિય વાક્ય બોલવાથી કીર્તિ વધે છે. વળી જ્ઞાનીઓએ પણ કહ્યું છે કે બે દિવસ પછી દહીંની અંદર જીવોની ઉત્પત્તિ થાય છે; ત્યારે તે બુદ્ધિવાન ધનપાળે કહ્યું કે, મને તેની ખાતરી કરાવી આપો. ત્યારે તે સાધુઓએ તે દહીંમાં જરા અળતાનો રંગ નખાવ્યો, તેથી તેમાં રહેલા જંતુઓ ઉપર તરી આવ્યા; તથા તરફડવા લાગ્યાં. તે જોઈ ધનપાળનો મિથ્યાત્વરૂપી લેપ નીકળી ગયો; અને વિચાર્યું કે, અહો ! આ જૈનલોકોનો ધર્મ દયાથી ઉજ્જવળ છે! પછી તેણે સાધુઓને પૂછ્યું કે, તમારા ગુરુ કોણ છે ? તથા તમે અહીં ક્યાં રહ્યા છો ? પછી તે સાધુઓએ તે સઘળો વૃત્તાંત કહેવાથી ધનપાળ શોભનાચાર્યજી પાસે ગયા; ધનપાળને આવતો જોઈ શોભનાચાર્યે પણ ઊઠીને તેને ઘણું સન્માન આપ્યું. પછી ધનપાળે પોતે કરેલાં વિપરીત આચરણનો પસ્તાવો કર્યો; તથા શોભનાચાર્યના ઉપદેશથી ધનપાળે જૈનધર્મ અંગીકાર કરી ઋષભદેવ પ્રભુનું મંદિર બંધાવ્યું. તથા પ્રભુ સન્મુખ ઋષભપંચાસિકા નામની નવીન સ્તુતિ રચીને કહી. પછી તેમણે બાર હજાર શ્લોકોના પ્રમાણવાળો ગદ્યકાવ્યરૂપ તિલકમંજરી નામનો ગ્રંથ બનાવ્યો. ત્યારબાદ ભોજરાજાએ તે તિલકમંજરી ગ્રંથમાં પોતાનું નામ દાખલ કરવાનું કહેવાથી ધનપાળે તેમ કરવું કબૂલ કર્યું નહીં; આથી રાજાએ તે ગ્રંથ તેની પાસેથી ઝુંટવીને અગ્નિમાં બાળી નાખ્યો, ત્યારે ધનપાળ ગુસ્સે થઈ પોતાને ઘેર જઈ શોકાતુર થઈ બેઠો; ત્યારે તેની નવ વર્ષની ઉમરની પુત્રીએ તેની દિલગીરીનું કારણ પૂછવાથી તેણે તે વાત જાણાવી, ત્યારે તેણીએ કહ્યું કે, તમે તેની ચિંતા ન કરો, તે સઘળું પુસ્તક મારે કંઠે છે. પછી પુત્રીના મુખથી સાંભળીને તે લખવા માંડતાં છેવટે તેમાંથી ત્રણ હજાર શ્લોકો ઓછા થયા, અને હાલ પણ તે નવ હજાર શ્લોકોના પ્રમાણનો ગ્રંથ મોજુદ છે. પછી ધનપાળ પંડિત તે ધારાનગર છોડીને સત્યપુરમાં ગયા. તેના જવાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org