SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ८० જૈન ઈતિહાસ અમને નિસ્પૃહી મુનિઓને બીજી તો કંઈ ઇચ્છા નથી, પરંતુ હવે તું સમકીત લઈને જીવહિંસાનો ત્યાગ કર કે જેથી તારી સદ્ગતિ થાય. પછી તે વાત તે વલ્લભીનાથ વ્યતંરે કબુલ રાખવાથી વીરગણિજી મહારાજ તેને અણહિલ્લપુરપાટણમાં ચામુંડ રાજાની પાસે લઈ ગયા; અને ત્યાં રાજાની સમક્ષ તે વ્યતંરે કહ્યું કે, આ મહાન આચાર્યજીના ઉપદેશથી હું પ્રતિબોધ પામ્યો છું, તથા આજથી મેં જીવહિંસાનો ત્યાગ કર્યો છે. ચામુંડ રાજાએ પણ શ્રી વીરગણિજી મહારાજનો મોટા આડંબરથી સૂરિપદનો મહોત્સવ કર્યો. એક વખતે તે શ્રીવીરગણિજી આચાર્ય મહારાજ તે વ્યંતરની સહાયથી અષ્ટાપદ પર્વત પર પધાર્યા; તથા ત્યાં શાશ્વતા જિનબિંબોની યાત્રા કરી પાછા તુરત અણહિલ્લપુરપાટણમાં પધાર્યા. તે વખતે તે આચાર્યજી મહારાજ ત્યાં દેવોએ અષ્ટાપદ પર્વત ૫૨ પૂજા માટે પ્રભુના બિંબો પાસે મૂકેલા અક્ષતોમાંથી પાંચ અક્ષતો પોતાની સાથે લાવ્યા; તે અક્ષતો બાર અંગુલ લાંબા અને એક અંગુલ પહોળાં હતાં. ઉપાશ્રયમાં તે અક્ષતોની ઘણી જ સુગંધી આવવાથી તેનું કારણ બીજા મુનિઓએ આચાર્યજી મહારાજને પૂછ્યું, ત્યારે તેમણે યથાર્થ વૃત્તાંત તેમને કહી સંભળાવ્યો. મુનિઓએ તે વાત સંઘને જાહેર કર્યાથી ચામુંડ રાજાએ પણ શ્રી વીરગણિજી મહારાજને બોલાવી તે અક્ષતો નજરે જોઈ તેઓનો મોટો મહોત્સવ કર્યો. એક દિવસે તે ચામુંડ રાજાએ પોતાના પ્રધાનને ગુપ્ત રીતે કહ્યું કે, મારી રાણીઓના ગર્ભોનો અકાળે સ્રાવ થઈ જાય છે, માટે તેનો કંઈક ઉપાય થાય તો સારું; પછી તે વાત પ્રધાને શ્રી વીરગણિજી મહારાજને કહ્યાથી તેમણે પણ પોતાના શ્રુતજ્ઞાનથી તે રાજાના સંતાનોથી આગામી કાળમાં શાસનની ઉન્નતિ થવાની જાણીને કહ્યું કે, હું તમને જે વાસક્ષેપ મંત્રીને આપું, તેને જળમાં મિશ્રિત કરીને જો રાણીઓને સ્નાન કરાવવામાં આવશે, તો રાજાના સંતાનોની વૃદ્ધિ થશે, પછી તેમ કર્યાથી ચામુંડ રાજાને ઘેર For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005666
Book TitleJain Itihas
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy