________________
પ્રકરણ - ૧૦
વિક્રમ સંવત ૯૦૦ થી ૧૦૦૦ (શીલાંગાચાર્ય, ગર્ગમહર્ષિ, યશોભદ્રસૂરિ,
ઉધોતનસૂરિ, વીરગણિ)
શીલાંગાચાર્ય (વિક્રમ સંવત ૯૧૯) આ પ્રસિદ્ધ ટીકાકાર શ્રી શીલાંગાચાર્ય શક ૭૮૪ થી ૭૯૮ ની લગભગ વિદ્યમાન હતા. તેમનું બીજું નામ કોટ્યાચાર્ય પણ કહેવાય છે. તેમણે અગ્યારે અંગો પર ટીકાઓ રચેલી હતી, એમ પ્રભાવિક ચરિત્રના ઓગણીસમા શૃંગમાં કહેલું છે, પરંતુ હાલમાં તેમની રચેલી આચારાંગસૂત્ર તથા સૂયગડાંગસૂત્ર પરની એમ બે અંગો પરની ટીકાઓ દૃષ્ટિએ પડે છે; તે ટીકામાં તે લખે છે કે, તે પૂર્વે તે સૂત્રોની ટીકાઓ ગંધહસ્તસૂરિજીએ રચેલી હતી; વળી તે બંને ટીકાઓ રચવામાં તેમને વાહરીગણિજીએ મદદ કરી હતી, એમ પણ તે લખે છે.
ગર્ગમહર્ષિ (વિક્રમ સંવત ૨) આ ગર્ગમહર્ષિજી મહારાજ વિક્રમ સંવત ૯૬૨ માં વિદ્યમાન હતા, તેમણે પાસક કેવળી તથા કર્મવિપાક નામના ગ્રંથો રચ્યા છે.
યશોભદ્રસૂરિ (વિક્રમ સંવત ૯૬૪) આ શ્રી યશોભદ્રસૂરિજી મહારાજ મહાપ્રભાવિક અને ચમત્કારી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org