________________
જૈન ઈતિહાસ
મથુરામાં રહેલા વાતિ નામના શૈવમાર્ગી યોગીને બપ્પભટ્ટીજીએ પ્રતિબોધીને જૈની કર્યો. ત્યારબાદ આચાર્યજીના ઉપદેશથી આમરાજાએ કાન્યકુબ્જ, મથુરા, અણહિલ્લપુરપાટણ, સતારક નગર તથા મોઢેરા આદિ શહેરોમાં જિનમંદિર બંધાવ્યાં. એવી રીતે શ્રી બપ્પભટ્ટીજીના ઉપદેશથી આમરાજાએ જૈનધર્મની ઘણી જ પ્રભાવના કરેલી છે. આ શ્રી બપ્પભટ્ટીસૂરીશ્વરજીનો જન્મ વિક્રમ સંવત ૮૦૦ ના ભાદરવા સુદી ત્રીજ ને રવિવારે થયો હતો, તથા પંચાણું વર્ષનું આયુ સંપૂર્ણ કરીને તે વિક્રમ સંવત ૮૯૫માં સ્વર્ગે પધાર્યા. તેમની પાટે તેમના મહાન વિદ્વાન એવા નન્નસૂરિ તથા ગોવિંદસૂરિ થયા છે, અને તેઓ પણ મહાપ્રભાવિક થયા છે; તેમના ઉપદેશથી આમરાજાના પૌત્ર ભોજ રાજાએ પણ અધિક રીતે જૈનશાસનની પ્રભાવના કરેલી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org