________________
જૈન ઈતિહાસ
મંત્રીઓને મોઢેરા ગામમાં મોકલ્યા. ત્યારે બપ્પભટ્ટીજી પણ ગુરુની આજ્ઞા લઈને ગીતાર્થો સહિત ત્યાં પધાર્યા. તે વખતે આમરાજા પણ પોતાના હાથી, ઘોડા, વગેરે પરિવાર સહિત તેમની સન્મુખ આવ્યો; પછી આમરાજાએ હાથ જોડીને આચાર્યજીને વિનંતી કરી કે, હે ભગવન્ ! પહેલાં જ મેં પ્રતિજ્ઞા કરેલી છે, માટે આપ આ રાજ્ય ગ્રહણ કરો. ત્યારે આચાર્યજીએ કહ્યું કે, હે રાજન્ ! અમે નિઃસ્પૃહી મુનિઓ રાજ્યને શું કરીએ ? અમારે રાજ્યનો ખપ નથી; પરંતુ તમોને જૈનધર્મના પસાયથી રાજ્ય મળ્યું છે, માટે જૈનધર્મની ઉન્નતિ કરજો. પછી કેટલાક દિવસો સુધી આમરાજાએ આચાર્યજીને ત્યાં સન્માનથી રાખીને મંત્રીઓ સહિત તેમને તેમના ગુરુ પાસે મોકલ્યા. પછી ત્યાં સિદ્ધસેનસૂરિજીએ બપ્પભટ્ટીજીને વિક્રમ સંવત ૮૧૧ માં ચૈત્ર વદી આઠમને દિવસે આચાર્ય પદવી આપી. હવે અહીં આમરાજાને બપ્પભટ્ટીજીનો વિયોગ થવાથી બહુ શોક થવા લાગ્યો; અને તેથી દિનદિન પ્રત્યે તેનું શરીર સુકાવા લાગ્યું. ત્યારે તેના મંત્રીઓ એકઠા થઈને મોઢેરામાં સિદ્ધસેનસૂરિજી પાસે આવ્યા; અને કહેવા લાગ્યા કે, બપ્પભટ્ટીજીના વિયોગથી અમારા રાજાને ઘણી પીડા થાય છે, માટે આપ કૃપા કરીને તેમને અમારી સાથે મોકલો. ત્યારે સિદ્ધસેનજીએ બપ્પભટ્ટીજીને કહ્યું કે, આ જગતમાં એક તો તરૂણતા અને બીજી રાજ્યપૂજા, એ બંને વિકારના હેતુઓ છે, માટે હે વત્સ, તમારે બહુ જ સાવધ રહેવું, એવી રીતે શીખામણ દઈને ગુરુમહારાજે ત્યાં જવાની આજ્ઞા આપવાથી બપ્પભટ્ટીજી પણ ધીરે ધીરે વિહાર કરીને મંત્રીઓ સહિત કાન્યકુબ્જમાં પધાર્યા. ત્યારે રાજાએ પણ સર્વ સામગ્રી સહિત તેમની સન્મુખ જઈને ઘણા જ · ઠાઠમાઠથી મહોત્સવપૂર્વક તેમને પ્રવેશ કરાવ્યો. પછી આમરાજાએ આચાર્યજીને નમસ્કાર કરી પૂછ્યું કે, હે સ્વામી ! હવે મારે ધર્મના આરાધન માટે શું કાર્ય કરવું ? ત્યારે આચાર્યજીએ કહ્યું કે, શક્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org