SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ધયાનદીપિકા [ ૪૩ ] આપણે એટલી સાવચેતી રાખવાની છે કે ઈષ્ટ અનિષ્ટ પદાર્થને દેખી કે અનુભવીને તેમાં રાગદ્વેષની પરિણતિ ન થાય એ બળ વાપરવાનું છે અથવા એટલો પુરુષાર્થ કરવાને તમારા હાથમાં છે. પદાર્થની અનિત્યતા બતાવવાનું કારણ પણ આ જ છે કે તે પદાર્થો તરફ આસક્તિ રાખી ઈચ્છાનિષ્ટથી તમો લેપાઓ છો રાગ દ્વેષ કરો છો તે કરતાં અટકે. પદાર્થની અનિત્યતા બતાવવી તે તેનું બાહ્ય સ્વરૂપ છે અને રાગદ્વેષ ન કરવાનું જે કહેવું છે તે આંતર સ્વરૂપ છે અથવા પદાર્થની અનિત્યતા કહેવી તે સામાન્ય વાત છે, ગષ ત્યાગ કરવા સૂચના કરવી તે વિશેષ ઉપદેશ છે. ૧૬. અશરણ (બીજી ભાવના) न त्राणं न हि शरणं सुरनरहरिखेचरकिन्नरादीनाम् । यमपाशपाशितानां परलोक गच्छतां नियतम् ॥१७॥ યમના પાસલામાં સપડાઈને પરલેકમાં જતાં દેવ, મનુષ્ય, ઇદ્રવિદ્યાધર અને કિન્નર આદિને નિશે કેઈ ત્રાણ કે શરણ કરનાર નથી. ૧૭. ભાવાર્થ :–આ બીજી ભાવનામાં મનને અશરણુતાના પુટ આપવામાં આવશે. મનને એવી ખાતરી થવી જોઈએ કે હું કેઈનું શરણ કરી શકું તેમ નથી અને મારું કઈ પણ રક્ષણ કરી શકે તેમ નથી. આ નિશ્ચય થવાથી જે પોતે ધન, માલ, ગામ, નગર, નોકર, ચાકર, સ્ત્રી, પુત્રાદિ ઉપર માલિકી ધરાવવાને અહંકાર કરતો હતો અથવા પોતાને ધન, ધાન્યાદિકના આશ્રય આપનારને માલિક (રક્ષણ કરનાર) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy