________________
માનદીપિકા
[ ૩૯૯ ]
દેવતની પરીક્ષા કરે છે. પ્રહાદ, ધ્રુવ, હરિશ્ચંદ્ર, નળ, મહાવીર ઈત્યાદિ પુરૂષ પર સંકટ ગુજર્યા ન હોત તે તેમની ખરી કિંમત કરી શકત નહિ જે મુસીબતે મૂર્ખ લોકોને હેરાન કરી નાંખે છે. તેજ મુસીબતો શાણાપુરૂષને ચડતીનાં સાધનરૂપે થાય છે. ૬
જે મનુષ્યને આત્મશક્તિમાં (પાતામાં) વિશ્વાસ નથી તે મનુષ્ય ધર્મના ઉંચા પગથીઆ ઉપર ચડવાને લાયક નથી. આત્મશક્તિ અનંત છે. એક ક્ષણમાં અનંત કર્મોને નાશ કરી શકે છે, માટે ગમે તેવી આફત કે વિદને આવે તે પણ તેનો પાર તેથી જ પામી શકાય છે. જેને આમ સામર્થ્યમાં વિશ્વાસ નથી તે કદાપિ કઈ મહત્વનું કાર્ય સિદ્ધ કરી શકવાને નથી. ૭
પ્રથમ પ્રયત્ન જ તમે કદી નિષ્ફળ જાઓ તે પણ આરંભેલું કાર્ય મૂકી દેશે નહિ, ફરીથી તે કાર્યને પ્રારંભ કરજે આ પ્રમાણે એકવાર નહિ, પણ હજાર વાર નિરાશ થવું પડે છતા પણ ગભરાશે કે હિંમત હારશે નહિ જે કે તમને હમણાં વિજય દેખાતો નથી છતાં દરેક વખતે તમે વિજય સમીપમાં જતા જાઓ છે અને અંતે તમારે પવિત્ર આત્મા વિજયી જ નિવડશે. ૮
સવારનાં ચાર વાગે ઉઠે. કેઈ પણ જીવોના શબ્દ ન સંભળાય ત્યાં પદ્માસન કરીને બેસે. શરીરને બીલકુલ હલાવે નહિ, મનને એકાગ્રતા કરવા અને બે પાંપણની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org