________________
[ ૩૯૮ ].
ધ્યાનદીપિકા આવેશમાં આમ તેમ ઘસડાઈ જતા હશે તે તેનાથી કોઈ દિવસ ઉત્તમ કાર્ય બની શકનાર નથી. ૨
રાત્રિને સમય દિવસ કરતાં વધારે રમણીય અને વિશ્રાંતિદાયક હોઈ, દિવ્ય વિચારને પિષક છે. પુરાતન કાળમાં જે રૂષી, મહર્ષી, મહાત્માઓએ પરમાત્માને સાક્ષા કાર મેળવેલ હતો તે સૂર્યના પ્રચંડ તેજસ્વી પ્રકાશમાં નહિં પણ રાત્રીના શાંતિપ્રદ પ્રદેશમાંજ મેળવ્યું હતું. ૩.
આપણે આપણા મનને શુદ્ધ અને આનંદદાયક વિચારોમાં રોકવું જોઈએ, અથવા વર્તમાન કાળની સાથે જેને સંબંધ નથી એવી પુરાતન કાળની કઈ કથા, શૌર્ય કે પ્રવાસની વાર્તા, ઉત્તમ જીવન ચરિત્ર ઈત્યાદિ વાંચવામાં મનને રોકવાથી નિત્યની જંજાળાનું વિસ્મરણ રાત્રે થઈ શકશે. આ પ્રસંગે કલ્પનાની પાંખો ઉપર બેસી અનંત દેશ કાળના પ્રદેશમાં મોજથી ઉડયા કરવાથી પ્રસ્તુત કામની દુગ્ધાઓનું વિસ્મરણ થઈ મન આનંદમાં મગ્ન થશે. વળી આગ્રહપૂર્વક પરમાત્માનું સ્મરણ કરવામાં મનને જોડવામાં આવે તે ઘણી જ થોડીવારમાં ઉંઘ આવી જશે. ૪
શરીરને વૃદ્ધાવસ્થા આવવા ન દેવી એ આપણા હાથમાં નથી, પણ શોક અને સંતાપને લીધે મનને જ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે તે આવવા ન દેવી, એ આપણી સત્તાની વાત છે. મન જ્યાં સુધી જીર્ણ થયું નથી, ત્યાં સુધી શરીર ગમે તેટલું જીર્ણ થાય તે પણ હાની નથી. ૫
બીજી જાતનાં સંકટ આપણા ધર્મની તથા આપણા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org