________________
ધ્યાનદીપિકા
[ ૩૯૩ ]
રહેવાથી કેટલાક રોગ શમી જાય છે, નાશ પામે છે તેમ ધ્યાનથી કમરોગ નાશ પામે છે.
જેમ ઘણા વખતનાં સંચય કરેલાં ઇંધણ પવન સહિત અગ્નિની મદદથી થોડા વખતમાં બળીને ભસ્મ થાય છે તેમ કરૂ૫ ઈંધણ ધ્યાનાગ્નિથી નાશ પામે છે, બળી જાય છે.
જેમ આકાશમાં ચડી આવેલી મેઘની ઘટાને પ્રચંડ વાયુ વિખેરી નાખે છે, તેમ દયાનરૂપ પ્રબળ પવન વડે કમરૂપ મેઘઘટાને વિખેરી નંખાય છે. શુક્લ ધ્યાન કરનાર યેગીને ક્રોધ, ઈર્ષ્યા, વિષાદ, શેક, હર્ષ ઈત્યાદિ બાધા પીડા કરી શકતી નથી, અર્થાત્ તેને માનસિક સંતાપ જરા પણ હોતું નથી. શીત, તાપ, સુધા, તૃષા-ઈત્યાદિ આ ફલ ધ્યાનીને બાધા, પીડા કરી શક્તા નથી. હિંસક પશુ, પક્ષી, મનુષ્ય, દેવ અને દાનવાદિ તેની દષ્ટિથી જ નિર્વિષ થઈ જાય છે. વૈરવિધ ભૂલી જઈ શાંત સ્થિતિ અનુભવે છે કેમ કે તે ગી આ સર્વ જગતને મિત્ર છે. પ્રભુ છે. આ સર્વ શુકલ ધ્યાનના પહેલા બે પાયાનું ફળ છે છેલ્લા બે ભેદનું ફળ નિર્વાણ પ્રાપિત છે.
ઉપસંહાર | મગાવવનચ્ચેનોજિતા.
सिद्धा बुद्धाश्च मुक्ताश्च ये तेभ्यो नमो नमः ॥२०३॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org