________________
ધ્યાનદીપિકા
{ ૩૯ ! યોગ્ય સ્થળે પિતાને હાથે સદુપયોગ કરતા નથી; અંતે તે મિલકત અહીં મૂકી જાય છે, એટલે તે કેઇના હાથમાં તે જાય છે જ. પણ તે લાયક મનુષ્ય હોય તે તેને સદુપયોગ કરે છે, નહિતર અસદ્ ઉપયોગ તે થાય છે જ, માટે લેભ ન કરતાં ચોગ્ય અધિકારી આગળ જ્ઞાનને સદુપયોગ કરે.
શુક્લ યાનનાં આ ચાર આલંબને છે. ક્રોધ, માન, માયા, અને લેભ. એમને ઘણી જ બારીકાઈથી વિચાર કરી, સૂમમાં સૂક્ષમ ક્રોધાદિને પણ ત્યાગ કરે તેને જરા પણ વિશ્વાસ ન કરે, કારણ તે અગ્નિના તણખા જેવા છે. એક જરા જેટલા પણ અગ્નિના તણખાની-કણની ઉપેક્ષા કરી હોય તે હજારે ઘરનાં ઘરો બાળીને ભસ્મ કરી નાખે છે. તેમ આ કેધ લેભાદિને સૂક્ષમ પણ ઉદય ધીમે ધીમે વૃદ્ધિ પામી આત્માના અનંત ગુણોને બાળી નાખે છે. અર્થાત, તેના ઉપર આવરણ લાવી તેને દબાવી દે છે.
ક્રોધાદિના ઉદયને રોકવા. તેનાં પરિણામને વિચાર કરી વિવેકજ્ઞાન દ્વારા તેઓને નિષ્ફળ કરવા-વિખેરી નાખવા. આત્માના શુદ્ધ સ્વભાવનો અરીસે સન્મુખ રાખી, આ આત્માના ગુણે છે કે અજ્ઞાન દશાવાળી વિભાવદશાના ગુણો છે તેને નિર્ણય કરી, વિભાવદશાવાળા, આત્માને આવરણ કરનારા તે ક્રોધાદિને ત્યાગ કર. ક્ષમા, નમ્રતા, સરલતા, અને સંતોષથી ક્રોધ, માન, માયા, લેભને પરાજય કરી શકાય છે. આ ક્ષમા દિવાળી પરિણતિ કર્મલયમાં પ્રધાન હેત છે. અષાયવાળી પરિણતિ જ ઉત્તમ ચારિત્ર્ય છે. એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org