________________
[ ૩૪૦ ]
ધ્યાનદીપિકા
માટે જ્યારે જ્યારે જે જે પદના ધ્યાનમાં આપણું લક્ષ પરોવાયું હોય તે તે વખતે તે પદવાચક હું છું તેવી ભાવના મનથી દઢ કરતા રહેવું. સાધુપદમાં મન તદાકારે પરિણમ્યું એટલે સાધુ તે હું છું. સિદ્ધપદમાં મન પરિણમે ત્યારે તે સિદ્ધ તે હું છું અને જ્ઞાનપદમાં મન પરિણમે ત્યારે જ્ઞાનપદ તે હું છું આ ધ્યાન સાથે રાખતા જવું. ઉપગ તદાકારે પરિ ણમે છે ત્યારે “આ હું દેહધારી મનુષ્ય, શ્રાવક, સાધુ, વિગેરે છું” તે ભાન ભુલાઈ તે જાય છે અને સામા ય (ધ્યાન કરવા લાયક જે છે તેના) આકારે પરિણાય છે; છતાં તે સંસ્કારને વધારે દઢ કરવી અને ચાલુ લક્ષ, વિચારોતરોથી ભૂલી ન જવાય તે માટે “તે હું છું” એવા વિચારે ચાલુ રાખવા. આ પ્રમાણે નવપદજીનું કે ગમે તે પદનું ધ્યાન કરાતું હોય તે સર્વ સ્થળે આ લક્ષ ધ્યાનમાં રાખી પ્રવૃત્તિ કરવી અને છેવટે તે પદમાં મનને વિરમાવી દેવું.
અથવા મારિકાપદ એટલે મૂળ અક્ષરનું ધ્યાન જેને અક્ષરબ્રહ્મ કહેવામાં આવે છે, તેનું ધ્યાન કરવું તે આ પ્રમાણે છે.
નાભિમાં સોળ પાંખડીવાળા કમળની ભાવના કરવી. અને દરેક પાંખડી ઉપર એક એક સ્વર મૂક. , , , , , , 28, , , છૂટ , ઝ, ગૌ, ગં, ઝ.
આ અક્ષરો તે પાંખડીઓમાં ફરતા હોય એમ ચિંતવવા એટલે એક ન આવે, એક પાંખડી ઉપર દેખાવ દીધો અને બીજી પાંખડી તરફ ચાલ્યા ગયે, તે પાંખડી ઉપર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org