SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા [ ૩૩૯ ] – આવે છે કે ભૂત, પ્રેત, સર્પ, વાઘ, સિંહાદિ છે તેને કોઈ વિદન કરી શકતા નથી, આત્મબળ વૃદ્ધિ પામે છે, સર્વ સ્થળે શાંતિ ફેલાય છે. છતાં તે ધ્યાન કરી તેટલાથી ન અટકતાં આગળ અભ્યાસ ચાલુ રાખી તે અરિહંત તે હું છું આ અર્થના ભાનપૂર્વક જાપ કર. જાપ કરતાં આ જાપ, તેને અર્થ અને અરિહંત તે હું છું ઈત્યાદિનું પણ ભાન ભૂલી જઈને છેવટના નિર્વિકલ્પ ધ્યાન સુધી પહોંચવું અને વચમાં આ લેકનાં વિવિધ પ્રકારનાં સુખમાં લેભાવે તેવા ચમત્કારોમાં ફસાઈ ન જતાં તે ધ્યાન કાયમ લાંબા વખત સુધી લંબાવતાં રહેવું. અથવા હૃદયમાં આઠ પાખડીનું કમળ તેની દરેક પાંખડીમાં એક નવપદજીનું પદ મૂકવું. એટલે વચમાં-કણિકામાં અરિહંત પછી તેના માથા ઉપર સિદ્ધ, પડખે આચાર્ય, નીચે ઉપાધ્યાય, પડખે સાધુ અને વિદિશાઓમાં દર્શન, જ્ઞાન ચારિત્ર અને તપ આ પદને મૂકી તેને જાપ કરે અથવા તે એક એક પદેમાં લક્ષ રાખી ધ્યાન કરવું. તે સિદ્ધ ચક્રપદનું મંડળ સિદ્ધચક્રજીના ગટા ઉપરથી ધારી લેવું. એ પ્રમાણે હૃદયમાં સિદ્ધચક ચિંતવી જાપ કે ધ્યાન કરવું આ અપરાજિત નામનો મહામંત્ર છે. બને તેટલે વધારે વખત આમાં રેક. જે પદનું ધ્યાન કરતા હોઈએ તે પદમાં આત્મઉપગ તદાકારે પરિણમતાં જેટલા વખત સુધી તેમાં ઉપયોગની સ્થિરતા રહે છે તેટલા વખત સુધી આપણે તે પદને ધારણ કરનાર મહાન પુરુષની સ્થિતિને અનુભવ કરીએ છીએ. આ ધ્યાનને વધારે મજબૂત કરવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy