SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૧૬ ધ્યાનદીપિકા રપ. સમતામાં લીન થવું–સર્વ જીને પિતાની સમાન જોવા, શુભાશુભ કર્મની અપેક્ષાએ જે વિષમતા કે વિવિધતા આપણું જોવામાં આવે છે તેના તરફ દષ્ટિ ન આપતાં આત્માના મૂળ સ્વરૂપ ઉપર લક્ષ આપવું, તે આંતર સ્વરૂપ તરફ દષ્ટિ થતાં સર્વ જી જરા પણ તફાવત વગરના અનુભાવમાં આવશે. આત્મા સ્વભાવે જે છે તેને તેવો જ છે. અનંતકાલથી જે સ્વભાવ છે તે અત્યારે પણ છે ને અનંતકાલે પણ તે જ રહેશે. જે સિદ્ધ પરમાત્માને આત્મા છે તે જ આપણો આત્મા અત્યારે પણ છે. સત્તા એટલે આત્માના મૂળ સ્વભાવ તરફ દૃષ્ટિ આપતાં સર્વ જી તરફ સમતા લાવવાનું કામ સહેલું થાય છે. વિષમતા એટલે રાગદ્વેષની પરિણતિથી ઉત્પન્ન થયેલી વિવિધતા. એ સર્વ વિષમતા શુભાશુભ કર્મનાં પરિણામ તરફ જોતાં જ દેખાવ આપે છે. આવી સમતામાં લીન થનાર જીવને આત્મ ધ્યાન પ્રાપ્ત થવામાં જરા પણ વિલંબ લાગતું નથી. ખરે. બર ધ્યાનની એગ્યતા આ લક્ષણવાળામાં હોય છે. આવા લક્ષણોથી જેનું મન શુદ્ધ થયેલું છે, તે ધ્યાન કરવાને યોગ્ય અધિકારી મનુષ્ય છે. આ સર્વ ગુણ બહુ જ મનન કરવા જેવા છે. દરેક ગુણ પોતાની અંદર પ્રગટ થાય તે માટે ઘણા જ આગ્રહપૂર્વક પ્રયત્ન રાખતા જે આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવું અત્યારે વિષમ જેવું થઈ પડેલું જણાય છે, તે એવું તે સરલ થઈ પડશે કે સહેજ વખતમાં આત્મસ્વરૂપ અનુભવી શકાશે. ધ્યાનશતકમાં કહ્યું છે કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy