SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૦૬ ] ધ્યાન દીપિકા પ્રમાદ છે. તેનાથી જે અલગ થયેલ હોય અગર નિદ્રા પ્રમુખ , અને અમુક મર્યાદામાં રોકી શકનાર હોય તે દયાન કરી, શકે છે. ૮. શુદ્ધસમ્યકત્વવાન-સમ્યગ્દષ્ટિવાળા જીવને ઉત્તમ ધ્યાન હોય છે. આત્માના અસ્તિત્વના હેવાપણા વિષે દઢ નિશ્ચયવાળાને શુદ્ધ સમ્યગ્રદશન હોય છે. પક્ષ રીતે પણ. જ્યાં સુધી આત્માની પ્રતીતિ થતી નથી ત્યાં સુધી દયાન માટે તેની પ્રવૃત્તિ કેવી રીતે થશે! આત્મા હોય તે પછી જ તે બંધાયેલા છે અને તેને છોડાવવા માટે ધ્યાન કરવું ઈત્યાદિ ઉપાય લાગુ પડી શકે છે, અથવા સમ્યગ્દશી એટલે સારી રીતે અર્થાત્ જડચૈતન્યના વિવેકવાળો જ્યાં સુધી, જડતન્યને વિવેક-ભિન્નતા વિચાર દ્વારા થઈ શકે. પ્રથમ નિર્ણત થયે નથી ત્યાં સુધી ધ્યાન માટે તે ઉપયોગી નહિ. વ્યવહારથી જડતન્યની ભિન્નતા થાય છે. પછી તેના અનુભવ માટે ધ્યાનાદિની આવશ્યકતા છે એટલે સમ્યક્ત્વવાન અથવા સમ્યગ્દશ જીવ ધ્યાનને છે. ૯ શ્રુતજ્ઞાન ઉપગ-શ્રુતજ્ઞાન ઉપગવાળો જીવ માનને યોગ્ય છે. સાંભળવાથી થયેલું જ્ઞાન તે શ્રુતજ્ઞાન, અથવા સિદ્ધાંતથી-શાથી થયેલું આત્માદિ પદાર્થોનું જ્ઞાન તે શ્રુતજ્ઞાન. ધ્યાનમાં વિચારવા લાયક જે પદાર્થો શ્રુતજ્ઞાનથી જાણ શકાય છે તે જાણ્યા હોય તે જ શ્રુતજ્ઞાનને ઉપયોગ રહે છે. અર્થાત્ પોતાનું કર્તવ્ય સ્મરણમાં રહે છે. નહિતર આડે રસ્તે ઊતરી જવાનો ભય વધારે રહે છે. ઘણી વખત સિદ્ધિઓ આદિ ચમત્કારો તરફ દેરવાઈ જવાનો ભય રહે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy