________________
ધ્યાનદીપિકા
[ ર૮૯ ]
ન હોવાથી સુખ કે દુઃખ વધારે તીવ્રતાથી ભોગવવું પડતું નથી. આ પ્રદેશબંધ છે. આ વાત સ્પષ્ટ કરવા માટે શાસ્ત્રમાં એક લાડુનું દષ્ટાંત આપ્યું છે. લાડુમાં લેટ હોય છે તે પ્રમાણે પ્રદેશબંધ છે. ઘી કે સાકરાદિક મીઠાશ હોય છે તે પ્રમાણે રસબંધ છે. લાડુમાં સૂઠ મરી કે તેવી જાતને મસાલો હોય છે તેમાં જેમ વાયુ હારવાને કે કફ મટાડવને ગુણ હોય છે તેમ પ્રકૃતિબંધ હોય છે. અને તે લાડુ મહિનો કે પંદર દિવસથી વધારે વખત રહી શકતો નથી બગડી જાય છે અથવા અમુક દિવસમાં તે ખાઈ જવાને હોય છે એ પ્રમાણે, સ્થિતિબંધ હોય છે, ચાર એકઠા મળવાથી જ લાડુ થાય છે તેમ આ ચાર પ્રકારની બંધન શક્તિઓ-કારણો એકઠાં મળવાથી તે શુભાશુભ કર્મબંધ તૈયાર થાય છે. પછી અવસરે તેને અનુભવ થાય છે. આ કર્મના વિપાક જે અનુભવ કરે છે. તેમાં કેઈ સુખી છે, કેઈ શેડો સુખી છે, કેઈ તેથી વધારે સુખી છે, અથવા કઈ દુઃખી છે, કઈ થડે દુઃખી છે, કે વધારે દુઃખી છે, કોઈ તેથી પણ વધારે દુઃખી છે, ઈત્યાદિ કર્મફળોગ અનુભવ સંબંધી-વિચાર કરે. આ કર્મબંધનું કારણ પોતે જ છે. આત્મભાન ભૂલીને પ્રવૃત્તિ કરવાથી બંધ થાય છે. જે બંધ તેવો જ અનુભવ છે. આ કર્મ બાંધનાર પિતે છે. તે તે બંધ છેડનાર પણ પોતે છે. બાંધવાની શક્તિ છે. તે છેડવાની શક્તિ પોતામાં હોવી જ જોઈએ, એ વિચાર કરી જે અજ્ઞાનદશામાં બંધ કર્યો છે તે જ બંધ જ્ઞાનદશાએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org