SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ પાનદીપિકા [ ૨૮૩ ] સાદિ પ્રમાણો અને ચોવીસ દંડક આદિ ગમાઓ ઈત્યાદિથી ગહન, નિપુણ બુદ્ધિ વિનાનાઓથી દુઃખે જાણી શકાય તેવી, કેવળજ્ઞાનરૂપ દીપકથી સમગ્ર સંશયરૂપ અંધકારનો નાશ કરનાર હોવાથી જગતના દીપક સમાન, નિર્દોષ, પાપરહિત અથવા આ લેક કે પરલોકના સુખની આશંસા-ઈચ્છા વિનાની જિનેશ્વરની આજ્ઞાનું ચિંતન કરવું. અહીં કોઈ શંકા કરે કે આવા વિશેષણવાળી જિનેશ્વરની આજ્ઞા મંદબુદ્ધિછે સમજી શકે નહિ તે પછી તેનું ધ્યાન કે તત્સંબંધી વિચાર તે કેમ કરી શકે જ? આને ઉત્તર એ છે કે ૧ બુદ્ધિની દુર્બળતાથી સમ્યક્ રીતે પદાર્થોને નિશ્ચય ન કરી શકાય તથા ૨ સારી રીતે તત્વનું પ્રતિપાદન કરી શકે તેવા આચાર્યોના અભાવથી તથા ૩ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી તથા ૪ જાણવા લાયક પદાર્થના ગહનપણાથી તેમ જ ૫ જાણવા લાયક ધર્મના વિશેષ અર્થને બોધ કરાવી શકે તેવા હેતુઓના અભાવથી વળી સત્ય કે કલિપત ઉદાહરણોના અસંભવથી વિદ્યમાન છતાં, કેટલીક વસ્તુઓ સમજી શકાતી નથી. આ વાત ખરી છે તે પણ સર્વજ્ઞના સત્યવચન સંબંધીને વિચાર તો બુદ્ધિમાનેએ કરવો જોઈએ અને તે એવી રીતે વિચાર કરે કે સર્વજ્ઞ–વીતરાગદેવ ઉપકાર કે બદલાની આશા રાખ્યા વિના જ પરને ધર્મોપદેશ આપી અનુગ્રહ કરવાને તત્પર થયેલ હોય છે. તેઓ જગતમાં સર્વથી શ્રેષ્ઠ જ્ઞાની પુરુષો છે, તેમ જ તેઓ રાગદ્વેષ અને અજ્ઞાનથી રહિત હોય છે એટલે તેમને અસત્ય બોલવાનું કાંઈ પણ કારણ હોતું નથી. આ પ્રમાણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy