________________
પાનદીપિકા
[ ૨૮૧ ]
-
=
રાગદ્વેષના પરિણામે પરિણામ પામવું, ઈત્યાદિ વિભાવ૫ કહેવાય છે. આત્મા સ્વરૂપનું ભાન ભૂલવાથી વિભાવપર્યાય ગ્રહણ કરે છે. આત્માને અખંડ ઉપગ આત્મસ્વરૂપમાં જ વિરામ પામે તે વિભાવ૫ર્યાયે પરિણમવામાં સહાયભૂત કે નિમિત્તભૂત કબીજે બળીને ભસ્મ થઈ જાય છે. તેમ થવાથી ફરી વિભાવપર્યાયોમાં પરિણમવાની શક્તિને નાશ થતાં નિર્વાણ કે મોક્ષની પ્રાપ્તિ થાય છે.
આત્મા અને જડ એમ બે વસ્તુઓ છે. તેમાં જડ વસ્તુ નિઃસાર છે તેમાં આસક્તિ કરવાથી ભાન ભુલાય છે. ચૈિતન્ય વસ્તુ જ સારભૂત છે. આત્મઉપયોગનું જડ વિભાવ વસ્તુ સાથે પરિણમવું તે ભેદ છે અને સ્વરૂપમાં જ પરૂિ ણમવું-સ્થિર થવું તે અભેદ છે. આત્મસ્વરૂપમાં અભેદએકરસ થઈ રહેવું તે સર્વજ્ઞની આજ્ઞા છે. નિર્વાણ પ્રાપ્તિ માટે આ જ છેવટને ઉપાય છે. એ સર્વજ્ઞનો નિશ્ચય છે. તે સિવાય નય, પ્રમાણ, ભંગ, નિક્ષેપાદિ અનેક વિચારો તેમણે ચર્યા છે, અનેક રીતે વસ્તુતત્ત્વને નિર્ણય કર્યો છે, પરંતુ તે સર્વનું છેવટ આ જ છે કે આત્મસ્વરૂપમાં જ સ્થિરતા કરવી; તે સિવાયના સર્વ પદાર્થો-પર્યાય તે વિભાવ છે, આત્માથી છૂટા પાડનાર છે, એટલે આત્મસ્વરૂપના બોધમાં વિદભૂત છે તેનો નિશ્ચય કરે, તે વીતરાગની આજ્ઞાને નિશ્ચય કરવા બરોબર છે. આવા પ્રકારના વિચાર કરવા તે ધર્મધ્યાન છે. તેટલા સમય માટે અન્ય વિચારોનું ભાન ભુલાય છે. તેટલી આત્મસમાધિ રહે છે તેટલા વખત માટે કર્મ આગમન રોકાય છે, યા અશુભ કર્મ આવતાં નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org