________________
ધ્યાનદીપિકા
[ ૨૭૩ ]
કેવા આસને બેસી ધ્યાન કરવું? पद्मासनादिना येनासनेनैव सुखी भवेत् । ध्यानं तेनासनेन स्यात् ध्यानिनां ध्यानसिद्धये ॥११६॥ પદ્માસન આદિ હરકેઈ આસને બેસવા વડે સુખી થવાય યાની મનુષ્યોને ધ્યાનસિદ્ધિ માટે તે આસને બેસીને ધ્યાન થાય.
ભાવાર્થ–પદ્માસન, સિદ્ધાસન, સ્વસ્તિકાસન આદિ આસને ધ્યાન કરવામાં વધારે અનુકૂળ પડે છે, કેમ કે તેથી પવન સુખપૂર્વક વહન થાય છે. શરીર સીધું ટટ્ટાર રહે છે. શરીરને લાંબો વખત ધ્યાનમાં રેકતાં થાક લાગતે નથી. લોહીનું ફરવું, ગતિ નિયમિત થાય છે, તથાપિ જેને તે આસને બેસવું અનુકૂળ ન પડે તે તેણે ગમે તે આસને બેસવું. જે આસને બેસવાથી સુખપૂર્વક લાંબા વખત સુધી બેસી શકાય, શરીરને કે મનને કલેશ-ખેદ ન થાય, દયાનસિદ્ધિ માટે ધ્યાન કરવાવાળાને તે આસન જ એગ્ય છે એટલે તે આસને બેસી ધ્યાન કરવું. અન્ય સ્થળે કહ્યું છે– ज च्चिय देहावथ्या जेण न इझाणोवरोहिणी होइ। झाइज्जा तदवथ्थो हिउ निसन्नो निविन्नो वा ॥१॥ सव्वासु वट्टमाणासु, मुणउ जं देसकालचेट्ठासु । वरकेवलाइलामं पत्ता बहुसो समियपावा ॥ २ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org