________________
ધ્યાનદીપિકા
[ ૨૫૫ ]
માણસ દુર્ગણી બને છે. કારણ કે એકની ભાવના ગુણ જોવાની છે, તેનું અંતઃકરણ ગુણનું જ મનન કરે છે, ગુણોનું જ શોધન કરે છે અને તેની મજબૂત ભાવનાની અસર મન ઉપર દઢ થતાં તેમાં સગુણ જ નિવાસ કરીને રહે છે.
જે માણસ અન્યના દે શેધ્યા કરે છે, છિદ્રો તપાસ્યા કરે છે, તેની ભાવના દોષ જેવાની જ હોય છે, તેનું મન નિરંતર દોષ જ શોધ્યા કરે છે, દેનું જ મનન કરે છે અને દોષના જ સંસ્કાર દઢ કરે છે, તે દેષમાત્ર થાય છે.
જે ભાવનામાં જેનું મન વાસિત થાય છે તેમાંથી તે જ ભાવનાની સુંગધ કે દુગધ નીકળવાની જ. માટે મનુષ્યને ખરેખર યોગ્ય તે તે જ છે કે ગુણોની તપાસ રાખવી. ચાળણ જેવા ન થવું, પણ કીડીનું અનુકરણ કરવું. અનાજમાં કાંકરા હોય છે ત્યારે ચાળણીથી ચાળવામાં આવે છે પોતે અનાજ નીચું ઊતરી જાય છે. છિદ્રો દ્વારા દાણા નીચે ઝરી જાય છે અને ચાળણીની અંદર તો કાંકરા જ રહે છે. આવી જ રીતે મનુષ્યો ગુણરૂપી અનાજને તે મૂકી દે છે અને દેષરૂપી કાંકરાઓ ગ્રહણ કરે છે, આનું પરિણામ એ આવે છે કે માણસના હાથમાં ચાળણીની માફક કાંકરા જ રહે છે, અને ગુણરૂપ અનાજ તે નીચે ફેંકી દેવાય છે.
કીડીનું અનુકરણ આ પ્રમાણે છે કે ગમે તેવી ઝીણી રેતી કે પથરીની અંદર અથવા ધૂળમાં, ખાંડ વેરવામાં આવી હેય તે પણ કીડીઓ ખાંડ વીણીને ખાઈ જાય છે અને કાંકરી, રેતી કે ધૂળને તેમ જ રહેવા દે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org