SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૪૬ ] ધ્યાનદીપિકા કેઈને ગણવાનો નથી. ટૂંકમાં કહીએ તે કેવળ વિચાર દ્વારા જ મનને દઢ મજબૂત બનાવીને દુર્ગણે કે કર્મને નાશ સાધન વાનો છે. જે સત્ય છે તેને ખરે અનુભવ-ખરે નિર્ણય મનને પ્રતીત કરવાનો છે. તેવા મનની લાંબા વખતની સ્થિતિથી આવરણને નાશ થાય છે. ખરી પ્રતીતિવાળા વિશુદ્ધ મન દ્વારા જ નિર્વાણ સાધી શકાય છે. ધર્મ કે શુક્લધ્યાને કેવળ વિચારરૂપ જ છે. ધર્મધ્યાનમાં કેવળ મનને જ કેળવવું પડે છે. આ આમ જ છે, આ સત્ય છે, આમાં જ સ્થિર થવું, આને યાદ પણ ન કરવું, આ જ સુખરૂપ છે, આ જ દુઃખનું કારણ છે વિગેરે નિર્ણથી મનને દઢ સંસ્કારી બનાવવાનું કામ ધર્મધ્યાનમાં છે, મને નિર્ણય કર્યો એટલે આ જગત સાચું ભાસે છે, મને નિર્ણય કર્યો કે આ જગત દુઃખરૂપ છે તે દુઃખરૂપ જ અનુભવવાનું એટલે વીતરાગ પુરુષને જે નિર્ણય તે નિર્ણયને અનુભવ મનને કરાવવાથી તેવી જ પ્રવૃત્તિવાળું તે મન બની જાય છે. આ સર્વ વાતે આ ધર્મધ્યાનમાં આવશે, તે ધર્મ અને શુકલધ્યાનના પ્રત્યેકના ચાર ચાર ભેદ છે, જે આગળ બતાવવામાં આવશે. પાપ ગથી વિરક્ત થઈ આ ધ્યાનને આશ્રય કરે. બાહ્ય તપશ્ચર્યા અને કિયાદિ હઠયોગમાં શરીરને તથા ઇંદ્રિને કેવળ વિશેષ દમવી પડે છે. અને તેમ કરીને મનને સ્વાધીન કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. રાજગમાં કેવળ વિચાર દ્વારા મનને મુખ્યતાએ દમવાનું છે, નિર્મળ કે શુદ્ધ બનેવવાનું છે, આત્માને આધીન કરવાનું છે. અને તે મન દ્વારા ઇદ્રિ કે શરીર પર શુદ્ધ વર્તનની અસર કરવામાં આવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy