________________
માનદીપિકા
[ ૨૩૫ ]
અર્પણ કરે છે. પતિ પણ તેમની ભક્તિથી સંતોષ પામી તેમને ત્યાં વારંવાર જાય છે અને નિઃશંકપણે તેમની ભક્તિનો સ્વાદ અનુભવે છે. આ જ પ્રમાણે મનને પતિ માનીને પાંચ ઇદ્રિને સ્ત્રીઓ સમજવી. તેઓ મનને સંતોષ આપવા માટે પિતે પિતાની શક્તિ પ્રમાણે વિષય અનુકૂળ સામગ્રીઓ જોવાની, ખાવાની, સાંભળવાની અને સુંઘવાની સ્પર્શ કરવાની પતિની સેવામાં હાજર કરે છે. મન પણ તે ઇદ્રિામાં પ્રવેશ કરીને તેનો અનુભવ કરે છે. જે ઇન્દ્રિય મનનું વધારે ખેંચાણ થાય તે અનુકૂળ પદાર્થ હાજર કરે છે, તે તરફ મન વધારે ખેંચાય છે. તેના તરફ વધારે લાગણી ધરાવે છે અને વારંવાર તેને ઘેર આવજા કરી, તે સ્ત્રીને-ઈદ્રિયને પિષણ આપે છે, વધારે માન આપે છે.
આ ઇદ્રિ તરફથી મળતા વિષયમાં મન પણ આસક્ત બને છે અને તેના ઉપભોગ માટે વારંવાર તે ઇંદ્રિરૂપ સ્ત્રીઓના ઘરમાં પ્રવેશ કરે છે, અનુકૂળ વિષયથી ખુશી થાય છે. કોઈ વખત પ્રતિકૂળ વિષે હેય તે નારાજ થાય છે. અને તેની આ પ્રવૃત્તિથી રાગદ્વેષ, હર્ષશેક, કરીને તે આ શરીરમાં કે આવાં જ શરીરમાં વધારે બંધન પામી દુઃખી થયા કરે છે. - આત્મારૂપી રાજાના પ્રધાન તરીકે મનને માનવું જોઈએ. આ પ્રધાનના દોષથી રાજા-આત્મા પોતે પણ આવા અશુ. ચિથી ભરેલા દેહમાં વારંવાર આવજા કરે છે, બંધન પામે છે અને જૂના દેહ મૂકવા તથા નવા ધારણ કરવારૂપ જન્મમરણ પામ્યા કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org