________________
ધ્યાનદીપિકા
[ ૧૭ ]
વિના તેને તમને બાધ નહિ જ થાય. તમે તમારા મનને સામી વસ્તુને જેવી માનવાને માટે નિશ્ચિત કરી આપ્યું છે, તે તે તેવી જ રીતે તેને માનશે અને તે પ્રકારે તેના તરફ વર્તન રાખી, ગુણ અવગુણ ગ્રહણ કરશે એક સ્ત્રી સન્મુખ ઊભી છે તેને તમે જે બહેનપણે માનશે તો તરત જ મન તે તરફ વિકારભાવથી જતું અટકી જશે અને બહેન તરફને પ્રેમથી તે તરફ વર્તન કરશે. અને તેને પોતાની સ્ત્રી તરીકે માનશે તે બહેનને ભાવ સમૂળગે ચાલ્યા જઈ સીપણાના ભાવને ઉચિતતાવાળું તમારું આચરણ તેના તરફ થશે. આવી જ રીતે તમે જ્યારે તમારા પોતાના બચાવને માટે-આત્માની ઉન્નત ગુણશ્રેણી તરફ ચડવા માટે શ્રીમાન યશોવિજયજી મહારાજના શબ્દોમાં કહીએ તો તમારા અંત૨માં સર્વ આત્માઓને કે જેઓ અત્યારે કર્માધીન સ્થિતિમાં દેહાશ્રિત થઈ રહેલા છે તેઓને સત્તાગત શુદ્ધ સ્વરૂપે જોવાની ટેવ પાડશે. જે જે દેહધારી તરફ તમારી દષ્ટિ પડે તે તે શુદ્ધ આત્મસ્વરૂપ છે, એમ તમારા હૃદયમાં ઠસાવશો તે તમારી એટલે તેટલે દરજજે આત્મદષ્ટિ થશે, તમારું મન વારંવાર તેવા તેવા પ્રસંગે આત્માકારે પરિણામ પામશેદેહભાવ ભુલાતે જશે અને શુદ્ધ આત્મદષ્ટિ-શુદ્ધ-આત્મસંસ્કાર જાગ્રત થતા જશે-હૃદયમાં સચોટ થતા જશે. આનું પરિણામ એ આવશે કે રાગ, દ્વેષ, અભિમાન આદિની પરિણતિ મંદ પડી જશે અને નિર્વિકાર આત્મદષ્ટિ મજબૂત થતી જશે. આ સમભાવની પ્રાપ્તિ થતાં મન નિર્મળ થશે. એટલે પછી તમારું કર્તવ્ય નિવિન થશે. તેમાં વિકલ્પ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org