SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા [ ૧૯૧ ] કુરતા, હૃદયની કઠિનતા (કઠોરતા), ઠગવાપણું, અસહ્ય દંડ આપવાપણું, નિર્દયપણું આ સર્વ રૌદ્રધ્યાનવાળા જીના ચિહ્નો આચાર્યોએ કહ્યા છે. ભાવાર્થ-જેના રોમેરેામમાં ક્રૂરતા વ્યાપી રહેલી હોય છે, વિના અપરાધે કે થોડા અપરાધે ને રિબાવી રિબાવીને મારે છે, પશ્ચાત્તાપ વિના અસહ્ય દંડ આપે છે, પાપ કરીને જેને પશ્ચાત્તાપ થતો નથી, જેને દુઃખી કરીને કે મારીને આનંદ પામે છે, હૃદય પીગળી જાય તેવા અન્યના વિલાપ કે તેવી આજીજી કરવા છતાં પણ પથ્થર જેવું જેનું હદય હોય છે એટલે જેના હૃદય ઉપર તેની કાંઈ પણ અસર થતી નથી. બીજાને ઠગવામાં જ પોતાની બુદ્ધિનું સાર્થકપણું માને છે, અયોગ્ય રીતે જીવેને દંડે છે. અન્યનો નાશ કરીને અન્યના ભાગે પિતાનું કામ સાધી લે છે, અનેક જીને સંહાર કરીને પણ પિતે સુખી થવા પ્રયત્ન કરે છે. આ સર્વ રૌદ્રધ્યાનવાળા જીવોનાં લક્ષણ છે. परवसणे अभिणंदइ, निरविक्खो निहओ निरणुतावो । हरिसिज्जइ कयपावो, रूद्दझ्झाणो-वगयचित्तो ॥ १ ॥ પરને સંકટમાં પડેલો જોઈને આનંદ પામનાર. આ લેકમાં તથા પરલોકમાં દુઃખ ભોગવવા પડશે તેની અપેક્ષા દરકાર નહિ રાખનાર, દયાહીન-નિર્દયતા વાપરનાર, અકાર્ય કરીને પશ્ચાત્તાપ નહિ કરનાર, પાપ કરીને હર્ષ પામનાર આ સર્વ રૌદ્રધ્યાનવાળાના મનના લક્ષણો છે. આ લક્ષણોથી રૌદ્રધ્યાનવાળા જીવને ઓળખી શકાય છે અથવા આ લક્ષણો જેમાં હોય તેને રૌદ્રધ્યાન વતે છે એમ સમજવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy