________________
[ ૧૭૨ ]
ધ્યાદીપિકા
શિક્ષા કરે છે જ પણ જ્યાં તેવું જોર ચાલતું નથી હોતું ત્યાં પિતે જ તે ક્રોધને ભોગ થઈ પડે છે. એટલે કે ધના આવેશમાં પોતે પણ આપઘાત કરે છે. આ રીતે જેઓ મહા અભિમાની છે, દરેક ઠેકાણે હુંપદ કરી પોતે જ બધું માન લેવા ઈચ્છે છે, થોડાંઘણાં સારાં કામ કરી લોકોમાં પિતાનું મહત્વ ગાયા કરે છે, પિતાનું મહત્વ વધારવા માટે જ પૈસાને ઉપગ કરે છે, આવા માણસો માનને વારંવાર આવકાર આપવાની ટેવ પાડે છે. આ ટેવ કાળાંતરે સ્વભાવનું રૂપ પકડે છે. તેનું પરિણામ એ આવે છે કે સર્વ સ્થળે તે માનની જ ઈચ્છા કરે છે. દેવ-ગુર્નાદિ કે અધિકારી વર્ગ પાસેથી પણ માન ઈચ્છે છે. જ્યારે તેને માન મળતું નથી, અગર કઈ તેનું અપમાન કરે છે ત્યારે તે પિતાના થયેલા અપમાનના બદલામાં પિતાના પ્રાણને પણ હલકા ગણે છે. કાં તે તેને મારે છે, અને કાં તો પોતે મરે છે. આ રીતે આ માન પણ રૌદ્ર ધ્યાનને નિવાસ કરવાનું ઘર જ છે.
માયા, કપટ, પ્રપંચ એ પણ શરૂઆતમાં નજીવાં દેખાય છે. સામાન્ય બાબતથી તેમની શરૂઆત થાય છે. તેની ટેવ વધતાં છેવટે તે સ્વભાવનું રૂપ ધારણ કરે છે. મોટા મોટા પ્રપંચો રચે છેકાવતરાં ગોઠવે છે, અનેક જેને તે જાળમાં ફસાવે છે. તેમાં જે પિતાને પ્રપંચ ખુલ્લો કરનાર મળી આવે તો રૌદ્રધ્યાન ઊછળી આવે છે. તેનો જાન લેશે તેમ કરતાં જે પિતાને સપડાઈ જવાનો પ્રસંગ આવ્યો તે પોતે આપઘાત કરી કરે છે. આમ માયા, પ્રપંચ, કપટજાળ પણ રૌદ્રધ્યાનની ઉત્પત્તિનું સ્થાન જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org