________________ [ 158 ] ધ્યાનદીપિકા પોતાના કર્મ પરિણામથી આ (રેગાદિ અનિષ્ટ સંશો) ઉત્પન્ન થયેલા છે (ઈત્યાદિ) વસ્તુ સ્વભાવના ચિંતન કરવામાં તત્પર થયેલા અને સમ્યક્ રીતે (રાગદ્વેષ વિના) ગાદિ સહન કરતા એવા મધ્યસ્થ મુનિને આર્તધ્યાન હેતું નથી. ભાવાર્થ:- અહીંયાં શંકા થાય છે કે મુનિઓ કે જેમણે સંસારત્યાગ કર્યો છે અને મુખ્ય રીતે આત્મસાધત કરવામાં ચિત્તને લગાડયું છે તેવા મુનિઓને પણ ઘણી વાર પૂર્વ કર્મ સંયેગથી નાના પ્રકારના રોગાદિને ઉપદ્રવ થઈ આવે છે, કેમકે કર્મ કઈને ફળ આપ્યા વિના રહેતું નથી. આ મહાપુરુષોને સિદ્ધાંત છે, તે આ રોગની અસમાન ધાનીથી, તેને પ્રતીકાર-ઉપાય કરવા તેઓ પ્રયત્ન કરે છે અને મનમાં એથી એમ પણ થાય છે કે આ રોગ શાંત થઈ જાય તે ઠીક. આમ રગના શમનને ઉપાય કરે અને મનથી રોગનો નાશ થાય તેમ ચિંતવવું તેથી મુનિ એને આર્તધ્યાન થવું જ જોઈએ? વળી તપ, સંયમ, આદિ અંગીકાર કરવાથી તેમના મનમાં ચોક્કસ નિશ્ચય હોય છે કે સાંસારિક દુઃખને વિગ થાય તો ઠીક. તેથી પણ તેમને આર્તધ્યાનની પ્રાપ્તિ છે એમ સમજી શકાય છે? આનો ઉત્તર એ છે કે જે રાગદ્વેષાદિને પરવશ થયેલ તે મુનિ હોય તો અવશ્ય તેમને પણ આધ્યાન હોય, પણ જેઓ રાગદ્વેષને આધીન ન થતાં મધ્યસ્થ સ્થિતિ ધારણ કરી વિચાર કરે છે કે આ વિવિધ પ્રકારના રોગો જે મારા દેહમાં ઉત્પન્ન થયા છે તે પૂર્વજન્મમાં કરેલ અશુભ કર્મને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org