SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ [ 156 ] ધ્યાન દીપિકા ભવ કરવાનું લક્ષ રાખે, સર્વ ક્રિયાઓ તેને ઉદ્દેશીને કરો. કૃષિકારે ધાન્યને માટે જ ખેતી કરે છે, છતાં ઘાસ, કડબ, વિગેરે તે પ્રાસંગિક-ઈચ્છા કર્યા વિના જ તેની સાથે પ્રગટ થાય છે, તેમ જ તે આત્મદેવની જ ઉત્કંઠા તમે કરો તે રસ્તામાં આવા ઘાસ જેવા વિષપભેગો તે સત્તાગત ઈચ્છાનુસાર સ્વાભાવિક જ તમને આવી મળશે. એક રાજાને તમે મળશે તે પહેરેદાર સિપાઈઓ તે અનિચ્છાએ પણ તમારી ગુલામી કરશે. વ્રત, તપ, જપ, ઈત્યાદિ કર્યા કરે. પણ સાથે તેના ફળની ઈચ્છા ન રાખે. ઈચ્છા સિવાય દરેક શુભ કામ કર્યો કરે. આનું પરિણામ એ આવશે કે જે ક્રિયા કરે છે તેમાં જે સ્વભાવ છે તે કાળાંતરે બહાર આવશે અને તમારી આસક્તિ તેમાં ઓછી થયેલી હશે તે આ અનુકૂળ સામગ્રી કે વિષપભોગના સાધનો તમને હેરાન ન કરતાં કાંઈક ઈચ્છાઓને શાંતિ આપી તેમાંથી જ વિચાર દ્વારા વિરક્તતા મેળવી આપશે. જેને માટે અત્યારે ઈચ્છા કરતા હતા તે સંયોગે મળી આવતાં પણ તમને તેનાથી વિરક્તદશા પ્રગટ કરવાની ઈચ્છા રહેશે વસ્તુ કે ક્રિયા એકની એક છે. પણ તમે જેમ જેમ તેને વળગતા જશે તેમ તેમ તે તમારાથી દૂર ભાગશે અને જ્યારે તમે તેને ત્યાગવા ઈચ્છશે એટલે તે તમને વળગતી આવશે. આ પ્રમાણે વસ્તુના સ્વભાવને સમજી તેની ઈચ્છા કાઢી નાખે, એટલે તે તમને મળશે એટલું જ નહિ, પણ તે તમારી ઈચ્છાને શાંત કરી, તમને હેરાન ન કરતાં ઊલટી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy