SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ [ 150 ] ધ્યાનદીપિકા થાય તેવી ઈચ્છા કરે; અથવા નાના પ્રકારના વિકલ્પો વડે પૂજા-સત્કાર અને લાભાદિક સુખની યાચના કરે. આ સર્વ નિયાણાથી ઉત્પન્ન થનારું આર્તધ્યાન મનુષ્યને દુઃખરૂપી દાવાનળના ભયંકર સ્થાન સમાન થાય છે. ભાવાર્થ:-આનું નામ તે મનની શક્તિને દુરૂપયોગ ખરાબમાર્ગ સમજ. મહેનતથી કંટાળેલા કે આળસુના આગેવાનો આને જ સમજવા મહેનત ર્યા વિના માલ ખાવાની ઈચ્છા રાખનારાઓ તમને કેઈ ન મળ્યા હોય તે આ વિચાર કરનારાને ઓળખી લેજે એકાંતમાં બેસી મનને કઈ પણ વિચારમાં લીન કરી દીધું કે તે વખતે ભરબજાર હોય તે પણ એકાંત જ સમજી લેવું. વિચાર કરે કે મને આ આખા ભારતવર્ષનું કે જેટલા દેશો છે તે બધાનું રાજ્ય મળે તે ઠીક થાય હો. અથવા આ રાજ્ય તે મળે પણ પાછું આયુષ્ય થોડું એટલે તે મૂકીને તો જવું જ પડે ને ત્યારે ઇંદ્રની પદવી મળે તે કેવું સારુ? દેવે ઉપર મનમાં ધારીએ તેવી આજ્ઞાઓ કરીએ, હુકમ ચલાવીએ, સુંદર અપ્સરાઓ કે ઇંદ્રાણીઓ આવી મળે. આપણે આગળ વિવિધ પ્રકારના નાટારંભ થઈ રહ્યા હોય. અહા ! આ સુખની તે વાત જ શી કરવી? પણ અરે ! એવાં સુખ તે મારા ભાગ્યમાં કયાંથી હોય? આ દુનિયાના જ નાના પ્રકારના ભેગો મળે તો પણ કેવું સારું થાય ? ગાડી, વાડી ને લાડીની મજા મારીએ. હવાવાળા મથકે ઉપર બંગલાઓ બાંધી અમનચમન ઉડાવીએ. એના કરતાં પણ વિદ્યાધરના રાજાપણાની પ્રાપ્તિ થાય તો તે પછી પૂછવું જ શું? સુંદર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy