SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા [ ૧૩૫ ]. वीतरागो भवेत् योगी यत्किंचिदपि चिंतयन् । तदेव ध्यानमाम्नातमतोऽन्ये ग्रंथविस्तराः ॥ ६८ ॥ ચોગી, ગમે તેનું પણ ચિંતવન કરતાં (જો) વીતરાગ થાય તે તેને જ ધ્યાન માનેલું છે (તેને જ ધ્યાન કહેવું) એ સિવાય બીજા ગ્રંથના વિસ્તાર સમજવા. મતલબ કે જે ધ્યાન કરવાથી–જેનું ચિંતન કરવાથી વીતરાગ થવાય-રોગશ્વેષ રહિત સ્થિતિ પમાય તે જ ધ્યાન છે; એ સિવાય બીજાં પિથાં તે ખાલી થથાં સમજવાં. પ્રકરણ ૫ આધ્યાન आत्तं रौद्रं च दुनि प्रत्येकं तच्चतुर्विधम् । अर्ते भवमथातं स्यात् रौद्रं प्राणातिपातजम् ॥६९॥ આ અને રૌદ્ર એ બે દુર્થાન છે. તે દરેકના ચાર ચાર ભેદ છે. પીડાથી ઉત્પન્ન થયેલું આર્તધ્યાન કહેવાય છે અને પ્રાણનો નાશ કરવાથી ઉત્પન્ન થયેલું રૌદ્રધ્યાન કહેવાય છે. ભાવાર્થ :–રાગદ્વેષની પરિણતિથી કઈ પણ જીવને દુઃખ ઉત્પન્ન કરવું કે દુઃખ ઉત્પન્ન કરવાના વિચારો કરવા તે દુર્થોન છે. તેને આર્તધ્યાન કહે છે. બીજા જીવને આનં-પીડિત દુખિત કરવાના વિચારોથી તે ધ્યાનની ઉત્પત્તિ છે. - જેને પ્રાણથી સર્વથા જુદા કરવાથી કે કરવાના વિચારોથી ઉત્પન્ન થયેલું દુર્બાન તેને રૌદ્રધ્યાન કહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy