________________
[ ૧૨૪]
માનદીપિકા
સુધી હોય ત્યાં સુધી ધ્યાન સ્થિર ન થાય. તે મલિનતા દૂર કરવા માટે પ્રયત્ન કરવાની જરૂર છે. તે ન થાય ત્યાં સુધી ધ્યાનના ઉમેદવાર થવું જોઈએ.
ध्यानमेवात्मधर्मस्य मूलं मोक्षस्य साधनम् । असद्ध्यानं ततो हेयं यत् कुतीर्थिकदर्शितम् ॥६१॥
ધ્યાન જ આત્મધર્મનું મૂળ છે. ધ્યાન જ મેક્ષનું સાધન છે. માટે જે કુતીર્થિકોએ બતાવેલું અસ–મલિન-ધ્યાન છે તેને ત્યાગ કરે.
ભાવાર્થ:-તીર્થ એટલે સરલ માર્ગ– સત્યમાર્ગ. તેને બતાવનાર તે તીર્થિક કહેવાય છે. તેથી વિપરીત–અસત્યાગ બતાવનાર પામર ને લાયક વિષયકષાયમાં ખેંચી રહેલાઓ, રાગદ્વેષને વિવશ થયેલાઓ, પાંચ ઇંદ્રિના વિષયને પરવશ થયેલાઓ, વિવિધ પ્રકારના માનાપમાનથી ઘેરાયેલાએ અને આ લેક તથા પરલોકની આશાઓથી જકડાયેલાઓ, તે સર્વ કુતીર્થિક કહેવાય છે. જે આત્મધર્મનું મૂલ કારણ નથી અને મેક્ષના સાધનભૂત પણ નથી તેવા મારણ, ઉચ્ચાટન, મોહન, વશીકરણ, ઇત્યાદિને માટે ચિત્તની એકાગ્રતાપૂર્વક જાપ કે ધ્યાન કરવાનું જેણે ઉપદેશેલું છે તે મિથ્યા મલિન ધ્યાન છે; તેવા કુથિકે એ બતાવેલા અસત ધ્યાનને અવશ્ય ત્યાગ કરે તે જ બતાવે છે.
कश्चिन्मृढात्मभिर्ध्यानमन्यैः स्वपरवंचकैः । सपापं तत्प्रणीतं च दुःखदुर्गतिदायकम् ।। ६२ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org