________________
[ ૧૮ ]
ધ્યાનદીપિકા
આ લેક નિત્ય છે, કોઈ કાળે નાશ થવાને નથી. તે માંહીલા એક પણ અણુને કે એક પણ જીવને કઈ પણ કાળે નાશ થવાને નથી. એટલે અંત વિનાને છે.
આ જીવની રાશિ-સમુદાય કર્મના પાશથી બંધાઈને નાના પ્રકારની ચોરાશી લાખ જીવનિ (જને ઉત્પન્ન થવાના સ્થાને) માં ઉત્પન્ન થાય છે. જે ઉત્પન્ન થવાના સ્થાનવિશેષ રૂપ, રસ, ગંધ એકસરખાં મળતાં આવતાં હોય તેવાં અનેક સ્થાનેને એક ગણવામાં આવે, તેવા અનેક સ્થાનના સમુદાયને જાતિ કહેવાય છે. આવી જીવોને ઉત્ત થવાની ચોરાશી લાખ જીવનિ કહેવાય છે, એટલે જીવને ઉત્પન્ન થવાના ઠેકાણાં છે.
તે સર્વ સ્થાનોમાં અજ્ઞાન અને અહંકાર વૃત્તિથી કરાતાં શુભાશુભ કર્મના બંધનોથી બંદીવાન થઈ છે તેમાં ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે. પાછા જન્મે છે અને પાછા મરે છે. આવી રીતે આ સંસારપરિભ્રમણનું ચક્ર ચાલ્યા કરે છે એવી કઈ પણ જાતિ પ્રાયઃ નહીં હોય કે આ જીવે તેને અનુભવ લીધો ન હોય. જન્મમરણની માળાના મણકા આ રીતે ફરતા જાય છે. પણ જીવ (આત્મા) સૂત્ર તે એકનું એક જ છે, માટે તે નિત્ય વસ્તુને જ વળગી રહેવું જોઈએ. [ આ લેકભાવનાની વિચારણા વખતે શાસ્ત્રમાં વિસ્તારથી ત્રણે લોકમાં રહેલા સ્થાને, પદાર્થો, જી વગેરેનું વર્ણન આપ્યું છે તેને વિચાર કર.
અધોલોકમાં ઘનવાત, તનવાત, ઘનોદધિ, તનેદધિ, સાત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org