SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા [ ૯૩ ] પહોંચી શકે? આ પ્રશ્ન સ્વાભાવિક રીતે આગળ આવીને ઊભો રહે છે. સમાધાન આ પ્રમાણે થવા યોગ્ય છે. જેને આત્મઅનાત્મનો, જડ-ચેતન્યનો વિવેક થયો હોય, ઉદય આવનાર સુખદુઃખને સમપરિણામે સહન કરવાને સમર્થ હોય, લાભાલાભને વિચાર કરી શકનાર હેય-મતલબ કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો વિચાર કરી અવસરઉચિત વર્તન કરનાર, કદાગ્રહી ન હોય, ઉદય આવતા કર્મમાં રાગદ્વેષ હર્ષશેક ન કરતાં તેવા અનેક પ્રસંગોને સમભાવે ઓળંગી ગયેલ હોય પૂર્ણ નિઃસ્પૃહ હોય, ઈત્યાદિ સામર્થ્યવાળા, આત્મજાગૃતિમાં જાગૃત થયેલા પુરુષે સત્તાગત કિલષ્ટ કર્મ ખપાવવા નિમિત્તે ઉદીરણા કરે છે, તેઓ ઘણે કાળ ભોગવી શકાય તેવા કર્મો આત્મબળથી થોડા વખતમાં ભેગવી લે છે. ભગવાન મહાવીર દેવે છદ્મસ્થાવસ્થામાં વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરી હતી. ઘેર રાજયાદિ અનુકૂળ સામગ્રી હોવા છતાં તેને ત્યાગ કરી ઘોર પરીષહો સહન કરવાનું યોગ્ય ધાર્યું હતું આ દેશમાં ઉપસર્ગો ઓછા થવા લાગ્યા અને કિલષ્ટ કર્મો હજી બાકી અધિક છે તેમ જણાતાં તે કમની ઉદીરણા નિમિત્તે અનાર્ય દેશમાં ગયા હતા અને જાણી જોઈને ત્યાં વિવિધ પ્રકારના ઉપસર્ગો અને કષ્ટ સહન કર્યા હતાં. આવી જ રીતે અનુકૂળતાવાળી યોગ્ય સામગ્રી હોવા છતાં નાના પ્રકારની તપશ્ચર્યા કરવી, કરેલ કર્મની ગહ કરવી, ગુરુની સાક્ષીએ પોતાની ભૂલને પશ્ચાત્તાપ કરે, મન, વચન, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy