SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા [ ૮૯ ] ભાવાર્થ :–આંબા, કેળપ્રમુખના ફળ ઝાડ ઉપર કેટલીક વખત પાકે છે પણ તે પાકવા વધારે વખતની જરૂર પડે છે. જેને તે ફળ ખાઈને આનંદ લેવાની વહેલી ઈચ્છા હોય અથવા ઝાડ ઉપર તે ફળે પિતાની મેળે યથાયોગ્ય પાકે ત્યાં સુધી તેની રાહ જોવાની ધીરજ ન હોય તેમણે તે કાચાં ફળને ઘાસ, પરાળ કે જેનાથી વધારે ગરમી મળે તેવા બાફવાળા સ્થાનમાં રાખવાં જેથી ગરમીની મદદથી ઘણા થોડા વખતમાં તે ફળો પાકી જશે. આ પ્રમાણે ફળો પકવવાનો નિયમ આપણે અનુભવમાં આવે છે. વિશેષ એટલો છે કે વૃક્ષ ઉપર ફળો સ્વાભાવિક રીતે પાકે છે તેમાં તે પકાવવા નિમિત્તે મહેનત કરવાની આપણને જરૂર રહેતી નથી. પણ તે ફળોને તેના કુદરતી નિયમથી વહેલાં પકાવવા હોય ત્યારે તે નિમિત્ત મહેનત કરવાની જરૂરિયાત રહે છે. આવી જ રીતે કર્મને પાક પણ (ઉદય-અનુભવ પણ) બે પ્રકારે થાય છે. એક રીતિ તો એ છે કે કર્મો સ્વાભાવિક રીતે યથાયોગ્ય કાળે ઉદય આવી પોતાનો સ્વભાવ બતાવી સુખદુઃખ અનુભવાવે છે, સુખદુઃખને ભોગ આપે છે. એટલે કર્મ બાંધતી વખતે જેવા સ્વભાવવાળું કર્મ બાંધ્યું હોય જેટલા પ્રદેશ (પુગલના સમૂહવાળું બાંધ્યું હોય છે તેવા જ સ્વભાવે, તેટલી સ્થિતિ પર્વત, તેવા રસે, અને તેટલા પ્રદેશે સાથે ઉદય આવે છે. આ કર્મને ઉદય વૃક્ષ ઉપર વાભાવિક રીતે પાતાં ફળની માફક વિના પ્રયત્ન ઉદય આવેલ કહેવાય છે. આ કર્મ ફળને ભોગવવા લાયક બનાવવામાં નવીન પુરુષાર્થ કરવાની જરૂર રહેતી નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy