SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા [ ૭૩ ] ઉત્પન્ન થતા વિચાર, વિકલ્પ, ફુરણો તે શરીરને ગતિમાન કરે છે. પૂર્વના દઢ સંસ્કારોથી વાસનાના બળથી મન પતે ગતિમાં મુકાય છે. અને તેની સાથે રાગદ્વેષની ચીકાશ સામેલ હોય છે આ રાગદ્વેષની ચીકાશથી નવીન કર્મ ગ્રહણ થાય છે. તેવી જ રીતે શરીર ગતિમાં મુકાઈને વિવિધ પ્રકારની ક્રિયા કરે છે. તે શરીર બહારથી પુગલોનું ગ્રહણ કરી વચન અને મનને ગતિમાં મૂકે છે અને પોતે પણ મુકાય છે. આ ગતિમાં રાગદ્વેષની પરિણતિને લઈ હર્ષ, શેકની ઊર્મિઓ ઊઠે છે. તે દ્વારા વિવિધ સ્વભાવવાળા કર્મબી જેને સંચય થઈ, સત્તામાં–કામણ શરીરમાં દઢ સંસ્કારરૂપે ખજાને એકઠા થાય છે, જે પાછો લરૂપે રૂપાંતર પામતાં જ તેને સુખદુઃખરૂપે અનુભવ કરે છે. જે આસક્તિપૂર્વક સારા કર્મો કરી એટલે મન, વચન, શરીરને સારે રસ્તે ઉપગ કર્યો હોય તે શુભ કર્મ એકઠા થાય છે અને તેનો જે રાગદ્વેષ અજ્ઞાન વડે ખોટે રસ્તે ઉપગ કર્યો હોય તે અશુભ કર્મ એકઠાં થાય છે. જેમ કે દેવની પૂજા કરવી, ગુરુની સેવા કરવી સત્પાત્રોને દાન આપવું, ક્ષમા કરવી સરાગ સંયમ પાળ, ગૃહસ્થ ધર્મના વ્રતનિયમ પાળવાં, અજ્ઞાન તપ કરવું, સ્વાભાવિક નમ્રતા રાખવી, સરળ થવું, ધર્મધ્યાનમાં પ્રીતિ કરવી, સજજનોને સન્માન આપવું, ઉત્તમ મનુષ્યની સોબત કરવી, ધર્મ શ્રવણ કર, સંસારથી ભય રાખવે, પ્રમાદ ઓછો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy