________________
સરદારની પુત્રી થઈને તમને આવી થીગડાંવાળી સાડી પહેરતાં શરમ કે સંકોચ નથી આવતાં ?' મણિબહેને જરા મોં મચકોડીને ગુસ્સામાં કહ્યું : ‘જે જૂઠું બોલતા હોય ને બેઈમાની કરતા હોય એમને શરમ આવે. મને શાની શરમ આવે ?'
ત્યાગીજીએ ગમ્મત આગળ ચલાવતાં કહ્યું : ‘અમારા ગામમાં નીકળો જોઈએ ! લોકો તમારા હાથમાં આનોબે આના મૂકશે ! તેઓ એમ જ સમજશે કે એક ભિખારણ જાય છે.”
સરદાર સાથે જ હતા. તેઓ પણ હસ્યા અને ગમ્મત કરતાં કહે :
‘બજારમાં ઘણા લોકો ફરતા હોય છે. આનો-બે આના કરીને પણ ઘણા રૂપિયા એકઠા કરી શકાશે.'
ડૉ. સુશીલાબહેન નય્યર પણ એ સૌની સાથે હતાં. તેમણે ત્યાગીજીને કહ્યું:
અરે ત્યાગીજી, તમે કોની વાત કરો છો? આખો દિવસ ઊભે પગે આ મણિબહેન સરદાર સાહેબની સેવાચાકરી કરે છે. પાછાં રોજ ડાયરી લખે છે અને રોજ નિયમિત રેંટિયો પણ કાંતે છે. એમાંથી જે સૂતર બને છે, તેમાંથી સરદાર સાહેબનાં ધોતિયાં અને પહેરણ બને છે. તમારી જેમ સરદાર સાહેબ ખાદીભંડારમાંથી ક્યાં ખરીદે છે? અને સરદાર સાહેબનાં ફાટેલાં કપડાંમાંથી મણિબહેન પાછાં પોતાનાં કપડાં બનાવી લે છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org