________________
બોરસદ ગામની બહાર સત્યાગ્રહ છાવણીવાળા દવાખાનાથી થોડે દૂર એક ખેતરમાં ઘાસના કામચલાઉ માંડવા ઊભા કર્યા હતા.
સરદારે આ કૅમ્પમાં એક રાયણના ઝાડ નીચે પોતાની બેઠક જમાવી હતી. કેમ્પમાં તેઓ બધે ફરતા હોય, સ્વયંસેવકો વગેરેને. માર્ગદર્શન અને પ્રોત્સાહન આપતા હોય, દરદીઓને આશ્વાસન આપતા હોય.
આ દિવસોમાં ચૈત્ર-વૈશાખ માસના આકરા તાપમાં મહાત્મા ગાંધીજી પણ બોરસદ આવ્યા હતા અને કૅમ્પમાં એક નાના આંબા નીચે એક અઠવાડિયું રહ્યા હતા.
દરબાર સાહેબ ગોપાળદાસ, એમનાં ધર્મપત્ની ભક્તિબા, તેમનાં પુત્ર-પુત્રવધૂઓ બધાંય આ સેવાકાર્યમાં અને ખાસ કરીને પ્લેગના દવાખાનામાં જે દરદીઓ આવ્યો તેમની સારવારમાં રહ્યાં હતાં.
ગાંધીજીએ બધે ફરીને આ યજ્ઞકાર્ય નિહાળ્યું. આ કાર્ય ગાંધીજીને તો ખૂબ જ ગમી ગયું.
આ કાર્યથી ગ્રામપ્રજા પર જે નૈતિક અસર થઈ હતી એ : જોઈને ગાંધીજી ખૂબ પ્રસન્ન થયા.
આ સેવાકાર્ય જોઈને લોકોને પણ થયું કે, આપણા આગેવાનો માત્ર સરકાર સામે લડત કરતા નથી, પરંતુ આપણા જીવનની હરેક પ્રકારની દરકાર રાખે છે.
વળી સ્વચ્છતાથી કેવી રીતે રહેવું, ઘર અને ગામ કેવાં સ્વચ્છ રાખવાં અને પ્લેગ જેવા ચેપી ઉપદ્રવ સામે પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org