SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ગયા અને બધી હકીકત જણાવી. સરદારે તરત જ આ વાત હાથમાં લીધી. ડૉ. ભાસ્કરભાઈ પટેલ મુંબઈમાં પોતાનું દવાખાનું ચલાવતા હતા. સરદારે તેમને બોલાવ્યા. ડૉ. ભાસ્કરભાઈ ને સરદારે પ્લેગની અસરવાળાં ગામોમાં જઈ, મહામારી અંગેની ઝીણવટભરી તપાસ કરીને અહેવાલ તૈયાર કરવાનું કામ સોંપ્યું. ભાસ્કરભાઈએ બોરસદ તાલુકાનાં પ્લેગગ્રસ્ત ગામોની જાતે મુલાકાત લીધી. પ્લેગમાં સપડાયેલા અને પ્લેગથી મરણ પામેલાં માણસોની હકીકત ભેગી કરી. એ પરથી તેમણે વિગતવાર અહેવાલ તૈયાર કરીને સરદારશ્રી આગળ મૂકયો. એ અહેવાલ જોઈને સરદાર ચમકયા ! ખરેખર ગ્રામજનો પર પ્લેગે કેર વર્તાવ્યો હતો અને એ બાબતમાં સરકારે કાંઈ પણ પગલું ભર્યું ન હતું ! સરદારશ્રી પોતે બોરસદ ગયા. તેમણે કેટલાંક ગામો જોયાં. આ મહાસંકટમાંથી ગ્રામજનોને અને ગામડાંઓને શી રીતે ઉગારી લેવાં એ વિશે તેઓ ગંભીરતાથી વિચારવા લાગ્યા. આ સેવાકાર્યમાં કોઈ એક સેવાભાવી, હિંમતવાન અને પોતાના કામમાં નિષ્ણાત એવા ડૉક્ટરની તો ખાસ જરૂર પડે. ડૉકટર ભાસ્કરભાઈ પટેલે સરદારની આ ઇચ્છાને સહર્ષ Jain Education International ૫૯ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005659
Book TitleSardar Shreena Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1999
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy