SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણે સાક્ષીઓ બંગાળી હતા, અને તેમાં બે તો કેવળ વિદ્યાર્થીઓ હતા. તે વખતે શ્રી ભૂલાભાઈ દેસાઈ, શ્રી વાલચંદ હીરાચંદ, શ્રી અંબાલાલ સારાભાઈ જેવા મહાનુભાવો સ્વિટ્ઝલૅન્ડમાં જ હતા. એટલે પ્રયત્ન કરવામાં આવ્યો હોત, તો તેઓને અંત સમયે હાજર રાખી શકાયા હોત અને વસિયતનામા ઉપર તેઓની સાક્ષી લઈ શકાઈ હોત. પરંતુ આ બાબતમાં વલ્લભભાઈએ જે વલણ લીધું, એ તેમની ઉદાર અને નિ:સ્વાર્થ ભાવનાનું દર્શન કરાવે એવું છે. વસિયતનામાના ખરાપણા વિશે તકરાર ઉઠાવીને સરદારને એ મોટી રકમ વિઠ્ઠલભાઈના વારસો માટે એટલે કે પોતાનાં કુટુંબીજનો માટે જોઈતી ન હતી. એટલે સરદારે તો પોતાનાં કુટુંબીઓમાંથી જેમનો જેમનો વારસાહક પહોંચતો હતો, તે બધાંની સહીઓ મેળવી લીધી કે, ‘વિઠ્ઠલભાઈના વસિયતનામામાં જે રકમ દેશકાર્ય માટે વાપરવાની કહી છે, તેમાંથી અમારે એક પાઈ પણ જોઈતી નથી.’ આ પ્રકારની ચોખવટ અને ચોકસાઈ કરીને સરદારશ્રીએ ગાંધીજીને કહ્યું : ‘તમે વચ્ચે પડો અને સુભાષબાબુને સમજાવો કે આ નાણાં કૉંગ્રેસના નેતાઓ જેમની સમિતિ નીમે તેમને દેશકાર્યમાં વાપરવા માટે સોપી દેવામાં આવે.' Jain Education International ૫૩ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005659
Book TitleSardar Shreena Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1999
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy