________________
એટલે એ વસિયતનામાના એકમાત્ર વહીવટકર્તા ગોરધનભાઈ પટેલ રહ્યા.
સુભાષબાબુએ આ વસિયતનામાનો યોગ્ય અમલ કરવામાં ઘણી અડચણો નાખી, ઘણા વખત સુધી તો અસલ વસિયતનામું જ ગોરધનભાઈને તેમણે આપ્યું નહીં.
બહુ વખતે જ્યારે સોંપ્યું, ત્યારે તેમણે એવો દાવો કર્યો કે, ‘આ વસિયતનામા પ્રમાણે મને જણાવેલી રકમ કુલમુખત્યારથી સોંપી દીધેલી છે. મારે તે અમુક રીતે જ વાપરવી એવી જે શરત એમાં લખેલી છે તે કાયદા પ્રમાણે મને બંધનકર્તા થતી નથી.’
શરૂઆતમાં તો આ બાબતમાં સરદારશ્રીએ બહુ નિ:સ્પૃહ અને તટસ્થ વૃત્તિ રાખી હતી.
પરંતુ નાણાંનો ઉપયોગ કઈ રીતે કરવો એ બાબતમાં સુભાષબાબુએ ગાળા ચાવવા માંડ્યા, એટલે સરદારને એ ઠીક ન લાગ્યું.
વળી જે રીતે આ વિસયતનામા ઉપર વિઠ્ઠલભાઈની સહી લેવામાં આવી હતી, તેથી પણ સરદારને એ વિશે શંકાઓ ઊભી થવા માંડી હતી.
વિઠ્ઠલભાઈ જે દિવસે ગુજરી ગયા, તે જ દિવસે વસિયતનામું થયેલું હતું. એમની એટલી ગંભીર બીમારી છતાં વસિયતનામા ઉપર તેમની સારવાર કરનારા દાક્તરોની સાક્ષી ન હતી.
Jain Education International
પર
For Personal & Private Use Only
www.jainelibrary.org