SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ સ્વમાની સરદાર સરદારશ્રી '૩૩ની સાલમાં નાશિક જેલમાં હતા. તે વખતે યુરોપમાં વિયેના મુકામે તેમના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલનું તા. ૨૨-૧૦-'૩૩ને રોજ અવસાન થયું. એટલે તેમના અવસાન નિમિત્તે સરદારશ્રી પર દિલસોજી બતાવનારા ઘણા તારો અને કાગળો આવ્યા. : જેલમાંથી એ બધાને જવાબ આપી શકાય નહીં. તેથી સરદારે નીચેનો સંદેશો વર્તમાનપત્રોમાં છાપવા માટે સરકાર ઉપર મોકલી આપ્યો : ‘મારી ઉપર વિઠ્ઠલભાઈના અવસાન બદલ દિલસોજી અને લાગણી બતાવનારા ઘણાબધા કાગળો (દેશના જુદા જુદા ભાગોમાંથી, બહ્મદેશ અને લંકાથી પણ) આવ્યા છે તે બધાને (અહીંથી) વ્યક્તિગત જવાબ આપવાનું મારે માટે શક્ય નથી. તેથી મારા પ્રત્યે જેઓએ દિલસોજી બતાવી છે તેમનો (જાહેર રીતે) આભાર માનવાની આ તક હું લઉં . તમારા દુ:ખમાં લાખો માણસો ભાગ લેનારા છે એના કરતાં વધારે મોટું આશ્વાસન મને બીજું શું હોઈ શકે ?) આ સંદેશામાંથી કૌંસમાં મૂકેલા શબ્દો કાઢી નાખીને સંદેશો છાપવો હોય તો છપાવી શકાશે એમ સરકાર તરફથી રાજદ્વારી કેદી સરદારશ્રીને જણાવવામાં આવ્યું. ४८ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005659
Book TitleSardar Shreena Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1999
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy