________________
આવ્યો. તે બિચારો પૂજી રહ્યો હતો અને બીકને લીધે તેનું મોં પણ પડી ગયું હતું. તેને થયું કે, સરદારશ્રી તેના ઉપર જરૂર ખૂબ ગુસ્સે થઈ જશે. સરદારશ્રી ધીમેથી ઊઠ્યા. પરંતુ તેમના મુખ ઉપર ગભરામણ કે ગુસ્સાનું ચિહન ન હતું. તેઓ સ્વસ્થ હતા.
આસપાસના લોકોના મનમાં પણ થતું હતું કે, સરદારશ્રી ડ્રાઇવરને ઠપકો આપ્યા વિના રહેશે નહીં. '
પરંતુ સરદારશ્રી તો ડ્રાઇવરને કે કોઈને કશું પણ કહ્યા વિના મણિબહેનની સાથે શાંતિથી શિબિર તરફ ચાલવા લાગ્યા !
જનસેવા કરવી હોય તો...
ઓરિસ્સામાં એક સાધનસંપન્ન અને જમીનદાર માણસ કોંગ્રેસ ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા. તેમાગે સરદારશ્રીની સલાહ માગી.
સરદારશ્રીએ એમને સ્પષ્ટ અને નિખાલસ સલાહ આપતાં કહ્યું :
“આપાગા લોકોને આપણી બધી જ સહાનુભૂતિની જરૂર છે. આપણાથી બની શકે એ તમામ સેવાઓ આપણે તેઓને આપવી જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org