SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. બાપીકા ઘરમાં પગ ન મૂક્યો . સને ૧૯૧૪માં વલ્લભભાઈ વિઠ્ઠલભાઈના પિતાશ્રી ઝવેરબાપાનું અવસાન થયું. ભાઈઓમાં સૌથી મોટાભાઈ નરસિંહભાઈ હતા. તેમણે જ્ઞાતિજમણ કરવાનું વિચાર્યું. પરંતુ વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈ એ બંને ભાઈઓ જ્ઞાતિના આવા ખોટા ખરચા કરાવનારા કુરિવાજોમાં માનતા નહોતા. એટલે આ બંને ભાઈઓએ મોટાભાઈ નરસિંહભાઈને બારમું કરવામાં એ રકમ વાપરવાને બદલે સામાજિક ઉદ્ધારના કામમાં વાપરવા સમજાવવા પ્રયત્ન કર્યો. રૂઢિચુસ્ત નરસિંહભાઈ એ વાત માને એવા નહોતા. તેમણે આ બંને ભાઈઓને સાફ સંભળાવી દીધું : ‘જો તમે બંને જણા આ પ્રસંગમાં ભાગ નહીં લો અને એ ખર્ચમાં તમારો હિસ્સો નહીં આપો, તો બાપીકી મિલકત પરનો તમારો સઘળો હકદાવો જતો કરવો પડશે. તમને એમાંથી એક પાઈ સુધ્ધાં નહીં મળે, એ યાદ રાખજો.' વલ્લભભાઈ-વિઠ્ઠલભાઈએ એ હક ખુશીથી જતો કર્યો, પરંતુ પોતાના પિતાના બારમામાં હાજર ન જ રહ્યા. ત્યાર પછી આ બંને ભાઈઓને કરમસદ જવાનું કોઈ વાર ૪૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005659
Book TitleSardar Shreena Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1999
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy