SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ માટે અમે ફંડફાળામાં જે કંઈ આપવાના હોઈએ તે તરતો તરત આપી દઈને એ ઋણમાંથી મુક્તિ અનુભવીએ છીએ.” ૧૮ “તે તો મને ઓળખે છે ને?' એક વાર પંજાબ મહાવિદ્યાલયના પદવીદાન સમારંભ વખતે સરદારશ્રી એનું ઉદ્દઘાટન કરવા આવ્યા હતા. ' તે વખતે એક વિદ્યાર્થીએ સરદારશ્રીની પાસે આવીને તેમને પ્રણામ કર્યા. સરદારશ્રીએ એ વિદ્યાર્થીને આવકારતાં પૂછ્યું : ‘કેમ, મજામાં છે ને ?' વિદ્યાર્થીએ કહ્યું : “જી હા.” થોડી વાર પછી સરદારશ્રીને તેમના એક સાથીએ પૂછ્યું : આપ પેલા વિદ્યાર્થીને ઓળખો છો ખરા?' સરદારે કહ્યું: ના.' પેલા સાથીએ જરા નવાઈ પામીને કહ્યું : ‘આપે એની સાથે વાત તો એ રીતે કરી, જાણે આપ એને પહેલેથી સારી પેઠે ઓળખતા હો !” સરદાર હસતા હસતા બોલ્યા : હું ભલે એને ઓળખતો નહીં હોઉં, પણ તે તો મને ઓળખે છે ને ?' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005659
Book TitleSardar Shreena Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1999
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy