SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પાળાઓના કબજામાં એ મંદિરો હતાં તેઓ સાથે અથડામણ થવા લાગી. આમ ગામેગામ મારામારીના પ્રસંગો ઊભા થતાં જિલ્લામાં શાંતિનો ભંગ થવા લાગ્યો. એટલે બંને પક્ષના સાધુઓ અને પાળાઓ આ રીતે શાંતિનો ભંગ ન કરે એ સારુ તેઓ પાસે જામીન લેવા માટે સામસામે કેસ કરવામાં આવ્યા. એવા એક કેસમાં પહેલા નંબરના તહોમતદાર તરીકે યજ્ઞપુરુષોત્તમદાસજી મહારાજ હતા. આ કેસ બોરસદના રેસિડન્સી મૅજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ થયેલો હતો. વલ્લભભાઈને આ વાતની થોડીઘણી જાણ તો હતી . છતાં પોતાના ટીખળી સ્વભાવ પ્રમાણે તેમણે કહ્યું: ‘મોટાકાકા, મહારાજ ઉપર વળી વૉરંટ કેવું? એ તો પુરુષોત્તમ ભગવાનનો અવતાર કહેવાય. આપણને સૌને આ ભવમાંથી છોડાવનારા. એમને પકડનારા કોણ હોય ?' પિતા જરા અંકળાઈને બોલ્યા : “અત્યારે તારું આ ટીખળ જવા દે! મેં પાકે પાયે સાંભળ્યું છે કે વડતાલ અને બોચાસણનાં મંદિરોના કબજા સંબંધી તકરાર થઈ છે અને તેમાં આપણા મહારાજ ઉપર પણ વૉરંટ નીકળ્યું છે. તારે એ વૉરંટ રદ કરાવવું જ પડશે. મહારાજને પકડે તો તો મારી સાથે તારી પણ આબરૂ જાય !” - એ સાંભળીને વલ્લભભાઈએ કહ્યું : સ.પ્ર.પ્ર.-૪ ૨૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005659
Book TitleSardar Shreena Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1999
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy