________________
પાળાઓના કબજામાં એ મંદિરો હતાં તેઓ સાથે અથડામણ થવા લાગી.
આમ ગામેગામ મારામારીના પ્રસંગો ઊભા થતાં જિલ્લામાં શાંતિનો ભંગ થવા લાગ્યો. એટલે બંને પક્ષના સાધુઓ અને પાળાઓ આ રીતે શાંતિનો ભંગ ન કરે એ સારુ તેઓ પાસે જામીન લેવા માટે સામસામે કેસ કરવામાં આવ્યા.
એવા એક કેસમાં પહેલા નંબરના તહોમતદાર તરીકે યજ્ઞપુરુષોત્તમદાસજી મહારાજ હતા. આ કેસ બોરસદના રેસિડન્સી મૅજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ થયેલો હતો.
વલ્લભભાઈને આ વાતની થોડીઘણી જાણ તો હતી . છતાં પોતાના ટીખળી સ્વભાવ પ્રમાણે તેમણે કહ્યું:
‘મોટાકાકા, મહારાજ ઉપર વળી વૉરંટ કેવું? એ તો પુરુષોત્તમ ભગવાનનો અવતાર કહેવાય. આપણને સૌને આ ભવમાંથી છોડાવનારા. એમને પકડનારા કોણ હોય ?' પિતા જરા અંકળાઈને બોલ્યા : “અત્યારે તારું આ ટીખળ જવા દે! મેં પાકે પાયે સાંભળ્યું છે કે વડતાલ અને બોચાસણનાં મંદિરોના કબજા સંબંધી તકરાર થઈ છે અને તેમાં આપણા મહારાજ ઉપર પણ વૉરંટ નીકળ્યું છે. તારે એ વૉરંટ રદ કરાવવું જ પડશે. મહારાજને પકડે તો તો મારી સાથે તારી પણ આબરૂ જાય !” - એ સાંભળીને વલ્લભભાઈએ કહ્યું : સ.પ્ર.પ્ર.-૪
૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org