SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પછી તો હરિજનો માટેનું એ અલગ સ્થાન પરિષદમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું. સરદારશ્રીનો ભાષણ કરવાનો વારો આવ્યો. તેઓ મંચ ઉપર ન ગયા, પરંતુ પોતાને સ્થાને જ ઊભા થઈને તેમણે ભાષણ કર્યું. પરંતુ સરદારે પોતાના ભાષાગમાં આ ઘટના વિશે જરા પણ ઇશારો કર્યો નહીં. ઇશારો શું કામ કરે? એ વિશે તો સરદારનું મૌન જ વધારે અસરકારક હતું. પશ્ચિમના સુધારા સામે લાલબત્તી પશ્ચિમની પદ્ધતિ દાખલ કરવામાં કેટલું જોખમ રહેલું છે, એ સામે સરદારશ્રીએ ૧૯૨૦માં અસહકારની લડત વેળાએ જે ચેતવણી આપી હતી, એ આજે પણ વિચારવા જેવી છે. તેમણે કહ્યું હતું : કેટલાક પશ્ચિમના સુધારાના પૂજારી છે. તેઓ રેટિયામાં દેશને દોઢસો વરસ પાછો લઈ જવાનો ડર દેખી રહ્યા છે. ‘પશ્ચિમનો સુધારો જગતની અશાંતિનું મૂળ છે એ તેઓ જોઈ શકતા નથી. “રાજા અને પ્રજા વચ્ચે ક્લેશ કરાવનાર, મોટી મોટી સલ્તનતોના ભુક્કા ઉડાવનાર, મહાન રાજ્યાને ગ્રહોની માફક અથડાવી પૃથ્વીનો પ્રલય આણનાર, માલિકો અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005659
Book TitleSardar Shreena Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1999
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy