________________
આવા બેએક પ્રસંગો અહીં જોઈએ:
એક બારેયાનું ખૂન તેના પોતાના જ ઘરમાં થયું હતું. જુદા જુદા ગામના બે બારિયાઓ ઉપર પોલીસોએ ખૂનનો આરોપ મૂકી કેસ કરેલો અને પોલીસપટેલ સાક્ષીમાં ગયેલો.
એક બારેયાએ બૅરિસ્ટર સરદારને કેસમાં રોક્યા. સરદારે પોલીસપટેલની ઊલટતપાસ લેવા માંડી. સરદારે પૂછ્યું :
‘તમારા પ્રથમ રિપોર્ટમાં ખૂનીનાં જે નામ લખેલાં છે તે છેકી નાખીને કેમ બદલ્યાં છે?' પોલીસપટેલે જવાબ આપ્યો : . ‘મરનારના બાપે પહેલી વાર બે નામ આપ્યાં. પણ ત્યાર પછી તેની સ્ત્રીએ આ બીજાં બે નામ આપ્યાં. એટલે મેં બદલ્યાં.”
સરદારે બીજો સવાલ પૂછ્યો : ‘તમે નામ બદલવાના કેટલા રૂપિયા લીધા છે?” પોલીસ પટેલ કહે : “મેં કોઈ લીધું નથી.” એ સાંભળીને સરદારે સપાટો ચલાવ્યો : “વાહ, ધરમરાજાના અવતાર લાગો છો ! પણ હું તમને પોલીસ પટેલોને ઓળખું છું. તમારા લોકો તો ખૂન કરાવે, દેવતા મુકાવે, જાસા કરાવે, ચોરીઓ કરાવે અને ચોરીનો માલ પણ રાખે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org