________________
- આમ, સરદારે જીવનની શરૂઆત બહુ સંકોચથી કરી.
ગોધરાના નિવાસ વખતનું એક સ્મરણ નોંધવા જેવું છે.
સરદાર ગોધરા ગયા એ અરસામાં જ ત્યાં ખૂબ પ્લેગ ચાલ્યો.
પ્લેગમાં કોર્ટના નાજર જે સરદારના સ્નેહી હતા, તેમનો દીકરો સપડાયો.
સરદાર એ છોકરાની સારવારમાં બરોબર લાગી ગયા પરંતુ દરદી બચ્યો નહીં!
દરદીને સ્મશાન મૂકી આવીને સરદાર પોતે પ્લેગમાં પટકાયા ! મોટી ગાંઠ નીકળી. પરંતુ સરદાર એથી કાંઈ ઓછા ગભરાઈ જાય?
એ દિવસોમાં સરદારશ્રીનાં ધર્મપત્ની ઝવેરબા પણ સાથે હતાં. સરદાર ઝવેરબાની સાથે ગાડીમાં બેઠા.
આણંદ આવીને સરદારે ઝવેરબાને કહ્યું: ‘તમે જાઓ કરમસદ. હું નડિયાદ જાઉં છું. ત્યાં સાજો થઈ જઈશ.'
પ્લેગમાં સપડાયેલા પતિને એકલા છોડીને જવાની કઈ પત્નીની હિંમત ચાલે? પરંતુ સરદારશ્રીના આગ્રહને વશ થઈને ઝવેરબા કમને કરમસદ ગયાં. - પછી સરદાર નડિયાદમાં રહીને સજા થઈ ગયા.
ગોધરામાં બે જ વર્ષ રહીને ૧૯૦૨માં સરદાર બોરસદ આવી ગયા.
જલદી બોરસદ આવવાનું મુખ્ય કારણ એ હતું કે, બોરસદના સ્થાનિક અમલદારો સાથે વિઠ્ઠલભાઈને ભારે
૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org