________________
સરદાર અને કાશીભાઈ ખડકીની મેડી ઉપર વકીલાતનું વાંચતા તથા સૂવા બેસવાનું રાખતા. એમણે બંનેએ છોકરાને માની જેમ ઉછેરી મોટો કર્યો.
સરદાર તો છોકરાને પોતાને પડખે જ સુવાડતા અને રાતે ઊઠીને એને બેત્રણ વાર દૂધ પાતા:
રીતે છોકરો ઝાડો-પેશાબ કરે, તો સરદાર એનાં બાળોતિયાં બદલાવતા અને બધું જાતે સાફસૂફ કરીને પાછા પોતાની પાસે સુવાડતા.
એ છોકરો ત્રણેક વર્ષનો થયો, ત્યાં સુધી તેને ઉછેરીને મોટો કરવામાં સરદારશ્રીએ ખૂબ જ પરિશ્રમ ઉઠાવ્યો હતો.
આ સમય દરમિયાન બનેલો એક બીજો પ્રસંગ પણ નોંધવા જેવો છે. સરદારમાં રહેલી અદ્ભુત સહનશીલતાનો એમાં પરિચય થાય છે.
આ દિવસોમાં સરદાર પોતાના એક મિત્રને ત્યાં બાકરોલ બેએક મહિના રહ્યા હતા. ત્યાં તેમને કાખબિલાડી થઈ.
ગામડામાં બીજા ઉપાયો તો શેના હોય? કોઈકે કહ્યું: ‘ગામમાં વાળંદ છે. તે નસર મૂકીને ગમે તેવું ગૂમડું ફોડી નાખવામાં બહુ હોશિયાર છે. તેને બોલાવી જુઓ. તરત આ પીડાનો નિકાલ આવી જશે.'
એટલે એ વાળંદને બોલાવવામાં આવ્યો. વાળંદે નસ્તર મૂકવા માટે સળિયો ધગધગતો કરીને
૨૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org